Wednesday, June 10, 2026

મોરબીના રંગપર ગામે પરીણીતાનો આપઘાત

મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામે કડવાચોથના દીવસે પતિને વહેલુ આવવા કહેલ પતિએ કામ હોવાથી મોડુ થાશે તેમ કહેતા માઠુ લાગી આવતા પરણીતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામે રહેતા આરતીબા જયદીપસિંહ ઝાલા (ઉ.વ.૨૧) એ ગત તા ૧૩-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે આરતીબાને કડવાચોથનુ વ્રત હોય જેથી પોતાના પતિને કામથી વ્હેલા ઘરે આવવા કહેતા પોતાના પતિએ કહેલ કે પોતાને કામ છે. જેથી મોડુ થાશે જે બાબતે લાગી આવતા પોતાની જાતે રૂમમા પંખા સાથે સાડી વડે ગળેફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img