મોરબીના બાળ સંરક્ષણ ગૃહમાં લાડકોડમાં ઉછેરીને મોટી થયેલી બાળાના લગ્ન લેવાયા
મોરબીના શોભેશ્વર રોડ ખાતે સ્થિત બાળ સંરક્ષણ ગૃહમાં આજથી સત્તર વર્ષ પૂર્વે ત્રણ વર્ષની બાળા દિપાલીનું આગમન થયું હતું,લજાઈ ગામ ખાતેથી મળી આવેલી આ બાળાને વિકાસ વિદ્યાલયમાં આશરો આપવામાં આવ્યો હતો,આ સંસ્થામાં દિપાલીનું લાલન પાલન અને પોષણ થયું,ભણતર,ઘડતર અને ગણતર થયું,આ બાળાએ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો અને ઉંમર લાયક થતા એમના સગપણ વિવાહ માટેના માગા આવતા સંસ્થા માટે કાર્યરત,સી.ડબલ્યુ. સી.તેમજ સમાજ સુરક્ષા, ડિસ્ટ્રિક્ટ ચાઈલ્ડ પ્રોટેક્ટ યુનિટ દ્વારા બધી જ રીતે તપાસી ચકાસી મહેન્દ્રનગરના નિવાસી વિજયાબેન તથા રમેશભાઈ વિઠ્ઠલભાઈ કાલરીયાના એન્જિનિયર પુત્ર ધવલની પસંદગી કરવામાં આવી હતી બે મહિના પહેલા ધવલ અને દિપાલીનું વેવિશાળ કરવામાં આવ્યું અને આજ રોજ ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાના આશીર્વાદ સાથે શાસ્ત્રોકત વિધિથી લગ્નવિધિ સંપન કરવામાં આવ્યો,સાજન માજન સાથે આવેલ જાણની બેન્ડ વાજાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,લગ્ન પ્રસંગે નવ દંપતીને આશીર્વાદ આપવા રાઘવજીભાઈ ગડારા પૂર્વ પ્રમુખ જિલ્લા ભાજપ-મોરબી રાજુભાઈ વરમોરા કલબ-૩૬ રાજેશભાઈ બદ્રકીયા,બિપિનભાઈ વ્યાસ, ઈલાબેન કાવર,દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લો તેમજ અનેક દાતાઓ અને ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.ભરતભાઈ નિમાવત,મેનેજર,નિરાલીબેન જાવીયા અધિક્ષક,ફરઝાનાબેન ખુરેશી એકાઉન્ટ ઓફિસર કમ સ્ટોર કિપર,ચારુલબેન નિમાવત કાઉન્સેલર દમયંતીબેન નિમાવત વગેરેએ લગ્નના ભવ્ય અને દિવ્ય આયોજન અને અમલ માટે ખુબજ જહેમત ઉઠાવી હતી.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...