મોરબી: મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટેલની સામે રોડ ઉપર ટ્રકનું વ્હીલ નીકળી એક્ટીવા સાથે અથડાતા એક્ટીવા સવારનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે રહેતા નિમેશભાઈ ખીમજીભાઇ વડગામા (ઉ.વ.૩૬) એ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૪-૧૦-૨૦૨૨ ના રોજ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં ફરીયાદીના ભાઇ કૈાશીકભાઇ ખીમજીભાઇ વડગામા ઉ.વ.૩૮ વાળાના એકટીવા મોટરસાયકલ રજીસ્ટર નંબર GJ-36-N-3020 વાળુ લઇને વાધરવા ગામથી ઘરે આવતો હતો અને મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા નજીક રામદેવ હોટલની સામે પહોચતા સામેના મોરબીથી માળીયા તરફના રોડ ઉપર કોઇ અજાણ્યા ટ્રક ચાલક પોતાનો ટ્રક પુરઝડપે અને બેદરકારીથી ચલાવતા તેના ટ્રકનુ વ્હીલ નીકળી જતા ફરીયાદીના ભાઇના એક્ટીવા સાથે વ્હીલ અથડાતા તેને જમણા પગમા તથા માથામા ગંભીર ઇજા પહોંચતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જી ટ્રક ચાલક પોતાનો ટ્રક લઇને નાશી ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈએ આરોપી અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...