મોરબી: હળવદ તાલુકાના રાયસંગપુર પાસે આવેલ રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલ અજાણ્યા શખ્સોએ તોડી કેનાલનું પાણી વોકળામાં વહાવી દીધુ છે. ત્યારે વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.હળવદ તાલુકાના વિવિધ ગામોમાંથી માઈનોર કેનલામા પિયતનુ પાણી ન પોહચતુ હોવાની રાવ થતી હોય છે ત્યારે હળવદ તાલુકાના રાયસંગપુર ગામના ખેડૂતે રાવ કરી છે કે ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી રણજીતગઢ માઈનોર ડી-૧૯ કેનાલમાં પિયતના પાણી સારૂં છેવાડાના ખેડૂતો તરસી રહ્યા છે ત્યારે માઈનોર કેનાલને તોડી પાણી વોકળામાં વહાવી દેવામાં આવે છે જેથી જે પાણી કેનાલમાં છેવાડાના ખેડૂતો સુધી પહોંચતું નથી અને હજારો એકર જમીન પીયતથી વંચિત રહે છે. જેથી ખેડૂતો દ્વારા એવી માગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા કેનાલનું રીપેરીંગ કામ કરી છેવાડાના ખેડૂતો સુધી પાણી પોહચે તેવી કામગીરી કરવામાં આવે.
હળવદના રણજીતગઢ માઇનોર ડી-૧૯ કેનાલમાંથી રણજીતગઢ, રાયસંગપુર, ચાડધ્રાના ખેડૂતોને પિયત માટે પાણી આપવામાં આવે છે. જેમાંથી હજારો એકરને પિયતનો લાભ મળે છે. ત્યારે રાયસંગપર પાસે રણજીતગઢ ડી-૧૯ માઇનોર કેનાલમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલ તોડીને પાણી વોકળામાં વહાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને છેવાડાના ખેડૂતો પિયતના પાણીનો લાભ મળતો નથી. જેથી આ વોકળામાં વહી જતું પાણી ખેડૂતોને ઉપયોગમાં આવે તે માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જ્યારે આ બાબતે નાયબ કાર્યપાલક ઇજનેર સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમને આ પ્રકારની કોઈપણ રજૂઆત મળી નથી.
મોરલી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મોન્સુન કામગીરીના ભાગ રુપે મચ્છરજન્ય રોગ અટકાયત અને નિયંત્રણ પ્રવ્રુતિ અન્વયે વિવિધ કામગીરી કરવામા આવી હતી જેમા ઘર મુલાકાત લઈ લઈ પાણી ભરેલ પાત્રો ની ચકાસણી કરવામાં આવેલ તથા આવા પાત્રો મા પોરા ઉત્પન્ન થતા અટકાવવા પોરાનાશક દવાઓ નાખવા ની પ્રવ્રુતિઓ હાથ ધરવામાં આવી...
મોરબી મહાસંઘના કાર્યકર્તાઓએ અધિકારી અને પદાધિકારીઓને મળી કાર્યક્રમની જાણકારી આપી પોસ્ટરનું વિમોચન કર્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-ગુજરાત દ્વારા તા.01-09-2025 ના રોજ ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ થવા જઈ રહી છે, શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સંયુક્ત રીતે શાળા તીર્થભૂમિ બને...
આમ આદમી પાર્ટી મોરબી દ્વારા આ આવેદનના માધ્યમથી ભારત સરકાર સુધી ખેડૂતોને લગતી એક ગંભીર બાબત પહોંચાડી હતી. તારીખ 19 ઓગસ્ટના રોજ ભારત સરકારના નાણા વિભાગે વિદેશથી આયાત થનાર કપાસ ઉપરના તમામ પ્રકારના વેરાઓ રદ કર્યા છે અને કપાસની મુક્ત આયાતને છૂટ આપી છે.
ત્યારે ભારતમાં કપાસનું ઉત્પાદન ભારતની કુલ...