મોરબી: કચ્છ-માળિયા હાઈવે ઉપર દેવ સોલ્ટ કારખાના સામે કાર બંધ થઈ જતા રોડની સાઈડમાં રાખી ઉભા હોય તે વખતે આઈસરે બંધ કારને હડફેટે લેતા કાર પાછળ ઉભેલ યુવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી આઇસર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ઠાકરશીભાઈ મુળજીભાઈ ચાવડા (ઉ.વ.૫૫) એ આરોપી આઈસર ટ્રક નં – GJ-23-X-4242 ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીની અર્ટીકા ગાડી રજીસ્ટર નં- GJ-36- B- 8302 વાળી બંધ થઇ જતા ગાડી રોડની સાઇડમા રાખી ઉભા હતા તે વખતે આરોપી પોતાના હવાલાવાળુ આઇસર નં- GJ-23 -X-4242 પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદની ગાડીમા પાછળ ભટકાડી તેમજ ફરીયાદીનો દીકરો વિજયભાઇ ઠાકરશીભાઇ ચાવડા ઉ.વ.૨૫ વાળો ગાડીની પાછળ ઉભો હતો તેને હળફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી : સરકારી આયુર્વેદિક હોસ્પિટલ મોરબી તથા યુવા શક્તિ ફાઉન્ડેશનના સહયોગથી દ્રિતીય હોમિયોપેથિક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા મોરબીના વાઘપરા ખાતે આવેલ સથવારા સમાજની વાડીમાં યોજાયેલ આ કેમ્પમાં સરકારી આયુર્વેદ હોસ્પિટલ મોરબી ના હોમિયોપેથિક મેડિકલ ઓફિસર, ડૉ.રાધિકાબેન મહેતા તથા અન્ય સ્ટાફ કોમલબેન તથા પ્રદીપભાઈએ સેવા આપી હતી....
મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે....
ભારતીય વાયુસેના દ્વારા તા.૨૭/ ૦૮/૨૦૨૫ થી વડોદરા દરજી પૂરા એરફોર્સ સ્ટેશન ખાતે ગુજરાતના યુવાનો માટે અગ્નિવીર વાયુની ઓપન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં ગુજરાતના પુરૂષ ઉમેદવારો માટે તા.૨૭ ઑગસ્ટ અને ૨૮ ઑગસ્ટ તેમજ સ્ત્રી ઉમેદવારો માટે તા.૩૦ ઑગસ્ટા અને ૩૧ ઑગસ્ટના રોજ ભરતી પ્રક્રિયા યોજાશે. આ ભરતી માટે...