મોરબી: મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901માથી વોચમેનને બે અજાણ્યા શખ્સો બોલાવી રૂ. ૫લાખ ૯૦ હજારની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901મા રહેતા ડો. અલ્કેશ નાગરભાઈ પારેજીયા (ઉ.વ.૪૫) એ આરોપી વેલકમ પ્રાઈડના સી – બ્લોકના બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ રહે. સાની ત્રીવેણી ગાંવપાલીકા -૨ કાલીકોટ ઉર્ફે જગત બહાદુર તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે આરોપી જૈદાન લુવાર સી-બ્લોકમાં વોચમેન તરીકે કામ કરતા હેાય જે આરોપીએ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી ફરીયાદીના રહેણાંક એપાર્ટમેન્ટ રૂમનં- C-901 ના ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂપીયા ૧૮૦૦૦૦/- તથા દીકરીના ગલ્લાના રૂપિયા ૧૦,૦૦૦/- તથા ફરીયાદીની રોજગોલ્ડ સોનાની લકી ત્રણતોલાની કિ.રૂ.૯૦,૦૦૦/- તથા રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા સોનાની વીટી પ, ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા સોનાનો સીકો કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ચાંદી દાગીના જેમાં બે જોડી સાંકળા કિ.રૂ.૮૦૦૦/- તથા બે ચાંદીના સીકકા રૂ.૧૦૦૦તથા ચાંદીની કંકાવટી મળી કુલ રૂ.૧૦૦૦/- તથા ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા૧૫૦૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૫,૯૦,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર અલ્કેશભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...