મોરબી: મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901માથી વોચમેનને બે અજાણ્યા શખ્સો બોલાવી રૂ. ૫લાખ ૯૦ હજારની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનારે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના રવાપર – ઘુનડા રોડ વેલકમ પ્રાઈડ ક્રિષ્ના સ્કુલ સામે રેહણાંક એપાર્ટમેન્ટ રૂમ નં – C-901મા રહેતા ડો. અલ્કેશ નાગરભાઈ પારેજીયા (ઉ.વ.૪૫) એ આરોપી વેલકમ પ્રાઈડના સી – બ્લોકના બહાદુર વોચમેન જૈદાન લુવાર માનસીંગ રહે. સાની ત્રીવેણી ગાંવપાલીકા -૨ કાલીકોટ ઉર્ફે જગત બહાદુર તથા તેની સાથેના બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૬-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના સમયે આરોપી જૈદાન લુવાર સી-બ્લોકમાં વોચમેન તરીકે કામ કરતા હેાય જે આરોપીએ અન્ય અજાણ્યા બે ઇસમોને બોલાવી ફરીયાદીના રહેણાંક એપાર્ટમેન્ટ રૂમનં- C-901 ના ઉપરના ટેરેસના પાછળના દરવાજાના એલ્યુમિનીયમની બારી ખોલી રૂમમાં ગેરકાયદેસર પ્રવેશ કરી નીચેના તથા ઉપરના રૂમના કબાટના લોકર તોડીને ગેસ્ટ રૂમમા રાખેલ રોકડા રૂપીયા ૧૮૦૦૦૦/- તથા દીકરીના ગલ્લાના રૂપિયા ૧૦,૦૦૦/- તથા ફરીયાદીની રોજગોલ્ડ સોનાની લકી ત્રણતોલાની કિ.રૂ.૯૦,૦૦૦/- તથા રોજગોલ્ડ સોનાનો ચેન ચાર તોલાનો કિ.રૂ.૧,૨૦,૦૦૦/- તથા સોનાની વીટી પ, ગ્રામ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા સોનાનો સીકો કિ.રૂ.૧૫,૦૦૦/- તથા ચાંદી દાગીના જેમાં બે જોડી સાંકળા કિ.રૂ.૮૦૦૦/- તથા બે ચાંદીના સીકકા રૂ.૧૦૦૦તથા ચાંદીની કંકાવટી મળી કુલ રૂ.૧૦૦૦/- તથા ઉપરના માળે રૂમના કબાટમાં રાખેલ રોકડા રૂપિયા૧૫૦૦૦૦/- મળી કુલ મુદામાલ કિ.રૂ.૫,૯૦,૦૦૦/-ના મુદામાલની ચોરી કરી લઇ ગયા હોવાની ભોગ બનનાર અલ્કેશભાઈ એ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી કલમ.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા-૦૧/૦૧/૨૦૨૫ ના રોજ મહાનગરપાલિકા નો દરરજો આપવામાં આવેલ તદ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા દ્વારા મોરબી શહેરના શહેરના સર્વાગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહ્યા છે. શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઇ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગબગીચા અને સૌંદર્ચીકરણ જેવી સેવાઓમાં સુધારો લાવવા માટે મોરબી...
મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લામાં તમામ જરૂરિયામંદ લોકોને બેંકો મારફતે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અટલ પેન્શન યોજનાના લાભ મળે તે માટે નાણાકીય સમાવેશ સંતૃપ્તિ અભિયાનની અસરકારક અમલવારી માટે જિલ્લાના ઉદ્યોગપતિઓ તથા વિવિધ એસોસિએશન સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં...
મોરબીના નવલખી રોડ પર કોલસો ભરીને ચાલતા ટ્રક અને ગ્રામજનો આ રોડ ના ઉપયોગ કરે છે. આ રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં ખાડાઓ પડી ગયેલ હોય અને આ રોડ પર આશરે 25 ગામના લોકો ની અવરજવર રહેતી હોય અવારનવાર ગંભીર અકસ્માતો આ ખાડાઓના લીધે બનતા હોય છે અને...