મોરબી: મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે પરીણાતાને તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા લાગી આવતા પરણીતાએ એસીડ પી આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મુળ રાજકોટ જિલ્લાના આસલપુર ગામના રહેવાસી અને હાલ મોરબી તાલુકાના સીતારામનગર (મકનસર) ગામે રહેતા રાધિકાબેન ઉર્ફે આરતીબેન દિલીપભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫) એ ગત તા.૧૦-૧૧-૨૦૨૨ ના રોજ કોઇપણ વખતે આરતીબેનને તેના પતિએ તેની બહેનના ઘરે આંટો દેવા જવાની ના પાડતા આરતીબેનને લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરે એસિડ પી જતા પ્રથમ સારવાર મોરબીની ખાનગી હોસ્પિટલમાં ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરતા સારવાર દરમ્યાન આરતીબેનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૧૪૪ કિં રૂ. ૩૪,૨૪૮ નાં મુદામાલ સાથે ત્રણ શખ્સોને મોંરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા જુના ગામ ઇન્દીરાવાસમા આરોપીએ પોતાના કબ્જા ભોગવટા વાળા...
હળવદની દેવળીયા ચોકડી થી આગળ સુરવદ વાળા રોડ પર આધેડ ગાડી લઈને જતા હોય ત્યારે સાયકલ વાળાને તારવવા જતા ગાડી રોંગ સાઈડમાં લીધેલ હોય ત્યારે એક શખ્સે સામેથી બાઈક લઈને આવતો હોય જેઓએ આધેડને ગાળો બોલતા આધેડે ગાળો બોલવાની ના પાડતાં શખ્સે આધેડને ઢીકાપાટુનો મારમારી જાનથી મારી નાંખવાની ધમકી...
મોરબી શહેરમાં ટુંક સમય પહેલા રાજકોટ રેન્જ આઇજી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં જણાવાયું હતું કે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે ત્યારે મોરબી શહેરમાં અવારનવાર લુંટ, ચોરી, મારામારીની ઘટનાઓ બની રહી છે ત્યારે મોરબી શહેરમાં રહેતા યુવક આંગડીયામાથી રૂપિયા ૮૫૦૦૦ લઇને જતા હોય ત્યારે એક...