માધાપરવાડી શાળાને કમ્પ્યુટર અને 400 બાળાઓને પેન અને ચોકલેટ અર્પણ કરી,પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી પ્રેરણાદાયી ઉજવણી કરતા હંસરાજભાઈ પરમાર
લોકો પોતાના રળેલા રૂપિયામાંથી પરસેવાની કમાણીમાંથી કંઈકને કંઈક સેવાકીય પ્રવૃત્તિ,દાનની પ્રવૃત્તિ કરતા હોય છે,ખાસ કરીને શાળા પણ વિદ્યાનું મંદિર છે એમાં અભ્યાસ કરતા બાળકો એ દેવ તુલ્ય છે ત્યારે લોકો આ બાળદેવો માટે અભ્યાસમાં ઉપયોગી થાય એવુ દાન આપતા હોય છે જેથી બાળકો હોંશે હોંશે શાળાએ આવવું ગમે શાળામાં ભણવાનું ગમેં,રોકાવું ગમે એવા હેતુસર પુત્રી વંદનાના જન્મદિવસે શાળા માટે કમ્પ્યુટર અર્પણ કર્યું અને 400 વિદ્યાર્થીનીઓને પેન અને કેડબરીની ચોકલેટ અર્પણ કરી પફ સેન્ડવિચનો નાસ્તો કરાવી હંસરાજભાઈ પરમારે પ્રેરણાદાયી ઉજવણી કરતા શાળા પરિવાર વતી આચાર્ય અને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ આભાર પ્રકટ કર્યો હતો.
મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી...
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...
મોરબી - રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે વિઝન પ્લાસ્ટિક કારખાનામાં ચેન કપાનુ સ્ટ્રક્ચર તુટી જતા તેનો પાઈપ માથામાં લાગતા ગંભીર ઈજાઓ પહોંચતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબી રાજપર રોડ પર આવેલ રામાપીરના મંદિર સામે આવેલ વિઝન કારખાને રૂમમાં રહેતા અને...