ટંકારા : ટંકારાથી ખાનપર ઘુનડા જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયાં નજીક કપાસ ભરેલા ટ્રકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી. આથી હાલ સ્થનિકો દ્વારા આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે તેમજ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ ટંકારાથી ખાનપર-ઘુંનડા તરફ જવાના રોડ પર મેઘપર ઝાલા ગામના પાટિયા નજીક કપાસ ભરેલ ટ્રકમાં અચાનક જ આગ લાગી જતા રોડ ઉપર કપાસ ભરેલો ટ્રક સળગવા લાગ્યો હતો. જેથી ડ્રાઇવરે ટ્રકને રોડની સાઈડમાં ઉભો રાખી દીધા બાદ સ્થાનિકો દ્વારા જે હાથ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ બનાવની ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી છે. આગ ક્યાં કારણોસર લાગી તેનું ચોક્કસ કારણ હાલ બહાર આવ્યું નથી. પરંતુ અંદાજીત ૫૦૦ મણ કપાસ ભરેલા ટ્રકમાં આગ લાગતા લાખો રૂપિયાનો ટ્રક અને કપાસ બળી રહ્યો હોવાનું સ્થાનિકોએ જણાવી રહ્યા છે.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...