મોરબી: હાલમાં બોલિવુડ ફિલ્મ પઠાણનુ એક ગીત રીલીઝ કરવામાં આવ્યું છે જે ગીતમાં ભગવાનુ અપમાન કર્યું હોવાનો મુદો ઉઠાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજે મોરબીમાં હિન્દુવાદી સંગઠનો દ્વારા ફિલ્મના પોસ્ટર સળગાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગાવાહિની દ્વારા સરકારને અને બધા જ સિનેમા થિયેટરના માલિકોને જણાવવા આવ્યું છે કે જે પઠાણ પિક્ચરમાં જે ભગવા રંગ ધારણ કરીને હિન્દુ સમાજની લાગણી દુભાવવામાં આવી છે તો બધા થિયેટરના માલિકોને ખાસ જણાવવા આવ્યું કે આ પઠાણ પિક્ચર મોરબીના એક પણ થિયેટરમાં ચાલુ કરવામાં ના આવે ચાલુ કરવામાં આવશે તો થિયેટરની નુકસા થશે તેની જવાબદારી ખુદ થિયેટર માલિકની રહેશે.
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગ દળ સહિતના હિંદુ સંગઠનોના હોદેદારો અને કાર્યકરો મોરબીના નગર દરવાજા ચોકમાં એકત્ર થયા હતા અને ફિલ્મ પઠાણનો વિરોધ નોંધાવ્યો હતો ફિલ્મ પઠાણના પોસ્ટર કાર્યકરોએ સળગાવી સુત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મ થીયેટરમાં રીલીઝ ના કરવાની માંગ કરી રહ્યા છે.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઈસમને પાસા તળે ડીટેઈન કરી મોરબી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જીલ્લા જેલ જુનાગઢ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં સંડોવાયેલ એક ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોરબી જીલ્લા મેજિસ્ટ્રેટ તરફ મોકલતા જીલ્લા મેજિસ્ટ્રેટએ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ આરોપી શામજીભાઇ...
ટંકારા મોરબી હાઈવે રોડ ઉપર ખાડે ખાડા પડી ગયા છે જો આ રોડ પર એક અઠવાડિયામાં પેચવર્ક કામગીરી શરૂ કરવામાં નહી આવે તો મહેશ રાજકોટીયા દ્વારા કચ્છ ને જોડતા હાઈવે પર ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ટંકારા થી મોરબી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત મગરના પીઠ જેવી થઈ ચુકી છે...
માં આધશક્તિની આરાધનાના મહાપર્વ સમાન નવરાત્રી નજીક આવતા નવરાત્રી નિમિત્તે કચ્છમાં બિરાજમાન આશાપુરા માતાજી ના દર્શન કરવાનું અનેરું મહત્વ હોય જેથી લોકો દુર દુરથી સેંકડો લોકો પગપાળા ચાલીને માતાજીના દરબારમાં શીશ ઝુકાવા જાય છે ત્યારે પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પ 12/09/2025 થી ઉમા રિસોર્ટ ની બાજુમાં,જુના...