મોરબી: “રક્તદાન એટલે કોઈના જીવન બાગને ખીલાવતી વર્ષાઋતુ” એક માનવીની રકતની જરૂરિયાત બીજો માનવી જ પુરી પાડી શકે વિશ્વના સમગ્ર જીવનની એકતાનું પ્રતિક માનવ રકત છે. પ્રત્યેક શરીરમાં ધબકતું રકત તો એક સહિયારી મૂડી છે. આ મૂડી નો સદ્ઉપયોગ એટલે સ્વૈચ્છિક રકતદાન.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ યુનીક સ્કુલ, ઉમા ટાઉનશિપ ખાતે તા.૦૧-૦૧- ૨૦૨૩ ને રવીવાર ના રોજ સવારે ૦૯-૦૦ થી ૦૧-૦૦ વાગ્યા સુધી રક્તદાન કેમ્પ યોજાશે. આ રક્તદાન કેમ્પનું આયોજન ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી અને વરમોરા ગ્રુપ મોરબીના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌજન્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી તથા સીવીલ હોસ્પિટલ મોરબી.
રક્તદાન કેમ્પ અંગે વિશેષ માહિતીની જરૂર હોય તો રતીભાઈ ભાલોડિયા મો: ૯૯૭૮૯, ૨૦૧૮૭ તથા મનુભાઈ જાકાસણીયા મોં: ૯૭૩૭૨ ૧૩૦૦૦ પર સંપર્ક સાધવો.
વાંકાનેર થયેલ છેતરપિંડીના ગુન્હાની તપાસ કરી છેતરપિંડીમા ગયેલ રકમ રીકવર કરી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા મૂળ માલિકને પરત કરવામાં આવેલ છે.
વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમા છેતરપિંડીનો ગુન્હો રજીસ્ટર થયેલ હતો. જે ગુન્હામાં ફરીયાદીની બોન્ઝા વિટ્રીફાઇડ કંપનીનુ બોગસ ઇમેઇલ આઇડી, મોબાઇલ નંબરનો ઉપયોગ કરીને ભારત સરકારના આઇસગેટ પોર્ટલમાં આ ઇમેઇલ...
મોરબી: આયુષ હોસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી દ્વારા જન્મેલા નવજાત બાળકને જન્મ સમયે શ્વાસની ગંભીર તકલીફ હતી. તાત્કાલિક બાળકને વેન્ટિલેટર તથા ઇન્ક્યુબેટરમાં રાખી વિશેષ સારવાર આપવામાં આવી. તપાસ દરમિયાન એક્સ-રેમાં જન્મજાત ન્યુમોનિયા તથા લોહીના રિપોર્ટમાં ચેપ વધુ હોવાનું નિદાન થયું. બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર અને બાદમાં 3–4 દિવસ ઓક્સિજન સપોર્ટ...