માજી સાંસદ મહેશભાઈ ઠક્કર, ભુજ નગરપાલીકા પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર સહીત વાગડ-ભચાઉ-ગાંધીધામ-સામખિયાળી-માનકુવા-સુખપર-મિર્ઝાપુર-ભુજ સહીત ના કચ્છ જીલ્લા ના લોહાણા સમાજ ના આગેવાનો ને રૂબરૂ આમંત્રણ પાઠવવામાં આવ્યુ
તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી. જેમાં ૧૮૨ ધારાસભ્ય માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર સમસ્ત રઘુવંશી સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર રામધામ ના સ્વપ્નદ્રષ્ટા. જીતુભાઈ સોમાણી જંગી બહુમતી થી વિજયી બન્યા છે ત્યારે આગામી તા.૦૧-૦૧-૨૦૨૩ રવિવાર ના રોજ રામધામ-જાલીડા મુકામે જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા ભવ્ય વિજયોત્સવ નુ અનેરૂ આયોજન કરવા મા આવેલ છે.
જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી તથા ગૌરાંગભાઈ માણેક(વાંકાનેર), ભાવેશભાઈ જોબનપુત્રા(વાંકાનેર), વૃતિકભાઈ બારા સહીત ના અગ્રણીઓ એ કચ્છ જિલ્લા ની રૂબરૂ મુલાકાત લઈ માજી સંસદ સભ્ય મહેશભાઈ ઠક્કર, ભુજ મહિલા મંડળ, નખત્રાણા લોહાણા મહાજન, ભુજ લોહાણા મહાજન, ભુજ નગરપાલીકા ના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર, ભચાઉ લોહાણા મહાજન સહીત વાગડ, ભચાઉ, ભુજ, નખત્રાણા, સામખિયાળી, મિર્ઝાપુર, માનકુવા, સુખપર, ગાંધીધામ સહીત ના મથકો ના લોહાણા સમાજ ના અગ્રણીઓને જીતુભાઈ સોમાણી ના સન્માન સમારોહ તથા વિજયોત્સવ માં પધારવા રૂબરૂ આમંત્રણ પાઠવવા માં આવ્યુ હતુ.
મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાની રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સંયુક્ત રીતે આગામી તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ.-મહેન્દ્રનગર ખાતે મોરબી ક્લસ્ટર કક્ષાના મેગા ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ આયોજન અનિવાર્ય સંજોગોના કારણે રદ કરવામાં આવ્યું છે. જેના બદલે નિયત સ્થળ અને સમયે તા.૦૧-૦૯-૨૦૨૫ ના રોજ મોરબી તાલુકા કક્ષાનાં...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ આ વર્ષે ગણેશ ચતુર્થિના પર્વ નિમિતે ભગવાનશ્રી ગણેશજી પ્રતિમાઓની સ્થાપના થનાર છે. જેથી તા.૨૭/૦૮/૨૦૨૫ ના રોજ ગણપતિ મૂર્તિની સ્થાપના થયા બાદ ગણપતિ વિસર્જન સુધીના સમય દરમિયાન ધાર્મિક, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાનાર છે.
બાદમાં ગણપતિ સ્થાપના સ્થળથી વિસર્જન સરઘસ કાઢી મૂર્તિઓને પાણીમાં વિસર્જન કરી ઉત્સવની ભવ્ય ઉજવણી...
આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા દ્વારા માળિયા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત જળબંબાકાર પુરની સ્થિતિ નિવારવા માળિયા મામલતદારને આવેદનપત્ર પાઠવી ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
આજે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માળિયા શહેર અને માળિયા તાલુકાના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં માનવસર્જિત પુરની સ્થિતિ વારંવાર સર્જાતી હોઈ છે ત્યારે...