વાંકાનેર શહેર ખાતે આવેલ શ્રી દોશી કોલેજ ખાતે ગઈકાલના રોજ એન.સી.સી.ના કેડેટોને જુદા જુદા હથિયારો વિશે માહિતગાર કરવા માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી રાયફલ કઈ રીતે કામ કરે છે ?, કેટલા ભાગમાં ખોલવામાં આવે છે ?, કઈ રીતે તેને જોડવામાં આવે છે ?, રાયફલ સાથે પરેડ, રાઇફલ સાથે સેલ્યુટ, રાઇફલ સાથે સલામી અને ફાયરિંગ કરતી વખતે શું ધ્યાનમાં રાખવું સહિતની બાબતો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી…
આ સાથે જ વિદ્યાર્થીઓને મેપ રીડિંગમાં કઈ રીતે મેપ સેટીંગ કરાય છે ? તેમજ કંપાસ કઈ રીતે કામ કરે છે ? તેની પૂરી માહિતી 26 ગુજરાત બટાલિયન એન.સી.સી. સુરેન્દ્રનગરથી ચાર આર્મી ઓફિસર અને એન.સી.સી. ઓફિસર કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડા સાહેબ દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા અને કેપ્ટન ડૉ. વાય. એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો
માળિયા તાલુકાના ખાખરેચી ગામે રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડતા મકાન માલીક તથા અન્ય ચાર જુગારી સહિત કુલ પાંચ ઇસમોને કુલ રૂ. ૧૦,૨૪૦/- ના મુદ્દામાલ સાથે માળીયા મીયાણા પોલીસે ઝડપી પાડયા છે.
માળીયા મીયાણા પોલીસને મળેલ બાતમી મળેલ કે કુવરજીભાઈ અમરશીભાઈ પરસુડા રહે.ગામ ખાખરેચી ગામ તા.માળીયા મીં...
સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સંગઠનને મજબૂત બનાવવામાં અને સમાજની એકતા વધુ ગાઢ કરવા એ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનો, ભાઇઓ, વિવિધ મંડળો તથા સંગઠનોના હોદેદારો એકત્ર થઈને સમાજના સર્વાંગી વિકાસ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરાશે. ખાસ કરીને સમાજમાં શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ માટેના ઉપાય, બોડીંગ ખાતે ચાલી રહેલી...