મોરબી: મહર્ષિ દયાનંદ સરસ્વતીજીનો જીવન પરિચય વિદ્યાર્થી, યુવાનો, માતપિતા અને સમસ્ત નાગરિકને મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે ગત તારીખ 12 ફેબ્રુઆરી 2023 ને રવિવારના રોજ વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર દ્વારા મહર્ષિ દયાનંદ સરસ્વતી જન્મજયંતિ નિમિત્તે “સામૂહિક સૂર્યનમસ્કારની સ્પર્ધા ૨૦૨૩” નું આયોજન રામોજી ફાર્મ, (રવાપર) કેનાલ રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં 400થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધેલ.
સ્પર્ધા દિને વહેલી સવારે રિપોર્ટિંગ સમય સવારે 6 વાગ્યાથી પણ વહેલા સ્થળ પર બહોળી સંખ્યામાં સ્પર્ધકો હાજર રહેતા તેમની યોગ અને સૂર્યનમસ્કાર વિષયમાં રહેલ રુચિ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભાઈઓ સાથે વધુ સંખ્યામાં બહેનો અને વડીલો મળીને 400 થી વધુ સ્પર્ધકોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને મોટાભાગના સ્પર્ધકો દ્વારા શરું ના 2 કલાક સુધી સામુહીક સૂર્ય નમસ્કાર કરાયા હતા. જ્યારે વિજેતા નક્કી કરવા ફાઇનલ રાઉન્ડના અંતે કુલ 451 સામુહીક સૂર્યનમસ્કાર પૂર્ણ કરાયા.
દરેક વિભાગમાં સૌથી વધુ સૂર્યનમસ્કાર કરનાર 1, 2 અને 3 નંબર મેળવનાર સ્પર્ધકને ટ્રોફી, પ્રમાણપત્ર અને યોગમેટ અને 4 થી 10 નંબર મેળવનાર વિજેતાઓને પ્રમાણપત્ર અને યોગમેટ પુરસ્કાર રૂપે આમંત્રિત મહેમાનો હસ્તે આપવામાં આવેલ.
સમગ્ર સ્પર્ધાનું સંકલન વાલજીભાઈ પી. ડાભી (વિનય કરાટે એકેડેમી અને ભક્તિ યોગ કેન્દ્ર) દ્વારા થયેલ. તેમજ મોરબી તાલુકા સંકલન કામગીરી ચાંદનીબેન ધોરિયાણી, મયુરભાઈ કારિયા, મનીષાબેન રાચ્છ, દિલીપભાઈ કંઝારીયા દ્વારા, તથા ટંકારા તાલુકા સંકલનની કામગીરી કંચનબેન સારેસા દ્વારા અને વાંકાનેર તાલુકા સંકલનની કામગીરી દિપાલીબેન આચાર્ય દ્વારા ખુબ સારી રીતે કરવામાં આવી.
સ્પર્ધા દરમ્યાન નિર્ણાયક અને કાર્યકર્તા તરીકે જવાબદારી સંભાળનાર યોગ ટ્રેનર્સ, ટીમ યોગમય મોરબી અને માં-જીવદયા ગ્રુપના સભ્યોઓ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા ખુબ જહેમત ઉઠાવેલ.
વરસે તો ચોમાસુ પાકના ઢગલા કરતા મઘા નક્ષત્રનો આવતી કાલે મોડી રાત થી પ્રારંભ: મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો તે સોનાના તોલે ગણવામાં આવે છે
ભારતમાં ચોમાસું નક્ષત્રોના આધારે હોય છે. આપણા શાસ્ત્રોમાં નક્ષત્રોનું અનેરું મહત્વ હોય છે. નક્ષત્રો પરથી વરસાદનો વરસાતા કાઢનારા અનેક આગાહી શાસ્ત્રો આપણા દેશમાં છે. ત્યારે...
સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે મોરબી જિલ્લામાં પધારેલા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ હળવદ વિસ્તારમાં પિયત મંડળીઓની મુલાકાત લીધી હતી.
ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.
મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં...
મોરબી મહાનગરપાલિકા દ્વારા આજે ૭૯ મોં સ્વતંત્રતા દિવસની ઉજવણી મહેન્દ્રસિંહજી ટાઉનહોલ ખાતે આવેલ ઉદ્યાનમાં કરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કમિશનર સ્વપ્રિલ ખરેના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. અને શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન કરાયું હતુ.
આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરે દ્વારા સંબંધોન કરવામાં આવ્યું હતું તેમજ મહાનગરપાલિકા...