માળિયા (મી): માળિયા તાલુકાના ભાવપરથી બગસરા ગામે આવવા માટેના રોડનું રીપેરીંગ તથા પેચવર્ક કરવા બાબતે બગસરા ગ્રામ પંચાયત દ્વારા મોરબીના માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
બગસરા ગ્રામ પંચાયતે રજુઆતમાં જણાવાયું છે કે, માળિયા (મી.) તાલુકાના ગામ ભાવપરથી બગસરા ગામે આવવાનો મુખ્ય રસ્તો 19/07/2017 ના રોજ આ ભાવપર-બગસરા ગામનો રોડ નવો બનેલ હતો પરંતુ હાલે આ રોડ એકદમ બીસ્માર હાલતમાં છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી ગયેલ કેમ કે આ રસ્તો બનાવેલ ત્યારે હલકી કક્ષાનું મટીરીયલ વાપરેલ છે અને આ રોડનો ગેરંટી પીરીયડ 19/07/2022 ના રોજ પુર્ણ થતો હોવાથી હાલ આ રોડની મુલાકાત લેવા અને કોન્ટ્રાકટરને આ રોડના રીપેરીંગ તથા પેચ વર્કની કામગીરી તાત્કાલીકના ધોરણે કરવા હુકમ કરવા ગ્રામ પંચાયતની માંગ અને રજુઆત છે.
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...
અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં હાલ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને આકાશમાંથી જાણે અગનગોળા વરસી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આ કાળઝાળ ગરમીની વચ્ચે 45.5°C તાપમાન સાથે ડીસા સમગ્ર રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 4.7°C જેટલો મોટો વધારો નોંધાયો...