મોરબીઃ મધુરમ ફાઉન્ડેશન મોરબી અને આયુર્વેદ પ્રચાર સમિતિ દ્વારા મોરબીમાં આયુર્વેદ કથાનું આયોજન આગામી તારીખ ૬ માર્ચના રોજ કરવામાં આવ્યું છે.
મોરબી ખાતે આગામી તારીખ ૬/૩/૨૦૨૩ અને સોમવારના રોજ બપોરે ૧.૩૦ થી ૫.૦૦ કલાકે પટેલ સમાજવાડી, શનાળા (મોરબી) ખાતે મધૂરમ ફાઉન્ડેશન મોરબી, તથા આયુર્વેદ પ્રચાર સંગઠન દ્વારા ગુજરાતના ખ્યાતનામ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયાની “આયુર્વેદ કથા” નું આયોજન કરેલ છે. મોરબીના આંગણે આ સૌ પ્રથમ કથા છે. તેમજ આ આયુર્વેદ કથામાં વધુમાં વધુ બહેનો આવે તો જ આપણો હેતુ બર આવશે. તેથી આગામી તા.૦૬-૦૩-૨૦૨૩ નાં રોજ ૧.૩૦ વાગે આ કથામાં તમામ લોકોને સહકુટુંબ હાજર રહેવા ભારપૂર્વક જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
મોરબી જીલ્લામા પ્રોહીબીશન અંગે રાખવામાં આવેલ કોમ્બીંગ ડ્રાઈવ દરમ્યાન પ્રોહીબીશનના કુલ-૬૧ કેસો શોધી કુલ કિં.રૂ. ૯૬,૪૦૫/- નો મુદ્દામાલ મોરબી જિલ્લા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશમાં પ્રોહીબીશનના વધુને વધુ કેસો શોધી કાઢવા અંગે કોમ્બીંગ ડ્રાઈવ રાખવામાં આવેલ હતી જે કોમ્બીંગ ડ્રાઇવ દરમ્યાન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી...
વિવિધ માર્ગો પર પેચવર્ક, મેટલવર્ક અને સર્ફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ
મોરબી જિલ્લામાં ચોમાસામાં વરસાદને કારણે નુકસાન પામેલા રસ્તાઓનું માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા ઝડપી, ગુણવત્તાયુક્ત સમારકામ કરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના નેતૃત્વ હેઠળ મોરબી જિલ્લામાં પંચાયત હસ્તકના રસ્તાઓ પર...
મોરબી શહેરમાં દારૂબંધીની લીરે લીરા ઉડી રહ્યા છે ત્યારે મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળથી વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના રણછોડનગર જલારામ એપાર્ટમેન્ટ પાછળ જાહેરમાં વિદેશી દારૂનું...