ધ્રાંગધ્રા: ધાંગધ્રા શહેર ખાતે ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનની રચના કરવામા આવી પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેર ખાતે ધ્રાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનની આજરોજ ધાંગધ્રાના રંગોલી રેસ્ટોરન્ટ ખાતે વર્ણી કરવામાં આવી હતી. જેમાં ધાંગધ્રા તાલુકા ભરના 25 થી પણ વધારે પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. અને ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનના નવા હોદ્દેદારોની સર્વાનુમતે અધ્યક્ષ પ્રમુખ, ઉપ-પ્રમુખ, મંત્રી, સહમંત્રી, સંગઠન મંત્રી, સોશિયલ મીડિયા કન્વીનર લીગલ એડવાઈઝર સહિતના હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી હતી.
જેમાં અધ્યક્ષ તરીકે કંકાવટી ગામના તેમજ ધાંગધ્રા તાલુકાના પત્રકાર દિનેશભાઈ શ્રીમાળીની વર્ણી કરવામાં આવી હતી આ સાથે પ્રમુખ તરીકે વૈશાલીબેન મકવાણા તથા દિનેશભાઈ ગામની વરણી કરવામાં આવી હતી. તેમજ ઉપપ્રમુખ તરીકે હિંમતભાઈ લકુમ તથા જેસીંગભાઇ પઢીયાર , મંત્રી તરીકે જયેશકુમાર ઝાલા, ગંભીરસિંહ જાડેજા , રૂતલ કુમાર ધામેચા, સહમંત્રી તરીકે દિપકભાઈ લકુમ હિતેશભાઈ ચાવડા રાજ ચરાડી તથા રણજીતસિંહ આ સાથે સંગઠન મંત્રી તરીકે આશિષભાઈ પરમાર, નીતિનભાઈ લકુમ રાકેશભાઈ ચૌહાણ તથા સોશિયલ મીડિયા કન્વીનર તરીકે હરિભાઈ લકુમ ભરતભાઈ વ્યાસ અને ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠનના લીગલ એડવાઈઝર તરીકે એડવોકેટ હિતેશભાઈ ચૌહાણ તથા એડવોકેટ કયુમ ભાઈ કુરેશીની વરણી કરવામાં આવી હતી.
ઉપસ્થિત તમામ પત્રકાર મિત્રો દ્વારા પુષ્પહાર સાથે તમામ હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દ્વારા પણ નવનિયુક્ત સંગઠનને ટેલીફોનિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આગામી દિવસમાં ધાંગધ્રા તાલુકા પત્રકાર સંગઠન દ્વારા લોક કલ્યાણ , લોકહિતના ઉદ્દેશ્ય સાથે લોકોના પ્રશ્નોને સતત વાચા આપવામાં રહેશે આ સાથે પિળુ પત્રકારત્વ કરતા પત્રકારો સામે લાલ આંખ તરીકે કાયદાકીય કાર્યવાહી કરતા પણ અચકાશે નહીં.
અમદાવાદ: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીની વચ્ચે જ ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે. હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 23 મે 2026 ના રોજ આગળ વધીને અરબી સમુદ્ર, કોમોરિન પ્રદેશ, બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના મોટાભાગના વિસ્તારોને આવરી ચૂક્યું છે.
આગામી 3-4 દિવસમાં ચોમાસું વધુ આગળ વધવા...
સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજ અંગે કરવામાં આવેલી એક વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે સમગ્ર ગુજરાતમાં વિવાદનો મધપૂડો છંછેડાયો છે. કચ્છના માંડવીમાં આયોજિત ‘વૃંદાવન સેવા અમૃત મહોત્સવ’ દરમિયાન સ્વામીએ મંચ પરથી નિવેદન આપ્યું હતું કે, “જો બ્રહ્મ સમાજ તમારી પાસે ભીખ માંગતો હોય તો પણ તે બ્રહ્મ સમાજ...
જરાત સરકાર દ્વારા સરકારી ખર્ચમાં ઘટાડો કરવા અને ઇંધણની બચત માટે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડીને ૧૧ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય બાદ, સામાન્ય વહીવટ વિભાગે તમામ સરકારી કચેરીઓ, અધિકારીઓ અને કર્મચારીઓ માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે.
પરિપત્રની મુખ્ય...