Monday, May 25, 2026

ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદીવ્યાંગ બાળકો સાથે કરાઈ

મોરબી: મનોદીવ્યાંગ બાળકોને હોળી અને ધુળેટી જેવા તહેવારોનું મહત્વ સમજાય તે હેતુથી ABVP મોરબી શાખા દ્વારા બાળકો સાથે હોળી- ધુળેટી પર્વની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઈ 1949 થી વિધાર્થી હિત અને રાષ્ટ્રહિતના કાર્યો કરતું વિશ્વનું સૌથી મોટું વિધાર્થીઓનું સંગઠન છે.

નાના મોટા બધા મનોદીવ્યાંગ બાળકો ધુળેટીના તહેવારની ઉજવણી મનભરીને કરી હતી. આ તહેવારની ઉજવણી માટે બાળકોના સ્વાસ્થને નુકશાન ન કરે તેવા ઓર્ગેનિક કલર ABVP મોરબી શાખા દ્વારા આપવામા આવ્યા હતા. અને ABVP મોરબી શાખા દ્વારા ધુળેટીની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી અને મનોદીવ્યાંગ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

spot_imgspot_imgspot_imgspot_img

વધુ જુઓ

તાજા સમાચાર

spot_imgspot_imgspot_imgspot_img