મોરબી: રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજીત વિનામૂલ્યે આ નેત્ર યજ્ઞ સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો.
જેમાં આશરે ૧૨૦ વ્યક્તિઓને તપાસ્યા તેમાંથી ૩૫ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા અત્યાર સુધીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૩૦૦/ જેટલી વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે મોતિયાના ઓપરેશનમાં ગયેલ દરિદ્ર નારાયણ સ્વરૂપ દર્દીએ પોતાના રિવ્યુમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સારવાર અને જમવા રહેવાની વ્યવસ્થા બાબતે ખુબજ સંતોષ વ્યક્ત કરેલ.
આ કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા તેમજ પાસ્ટ પ્રેસિડેન્ટ લા. ભીખાભાઈ લોરિયા લા.અમરસી ભાઈ અમૃતિયા તેમજ પ્રોજેક્ટ ચેરમેન લા. પ્રાણજીવન ભાઈ રંગપરીયા અને લા. મણિલાલ કાવર લા.રશ્મિકા રૂપાલા લા નાનજીભાઈ મોરડિયા લા. મહાદેવભાઈ ચીખલિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સભ્યો લા. ધનજીભાઈ નાયકપરા અને લા. મણિભાઈ કાવર દ્વારા નેત્ર યજ્ઞ સેવા કેમ્પમાં દાતા તરીકે પોતાનું આર્થિક યોગ દાન જાહેર કરતા સર્વે ઊપસ્થિત લોકોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરેલ સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ અને લિયો કલબ મોરબી સીટીના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવેલ આ વિનામૂલ્યે નેત્રયજ્ઞ કેમ્પનું સંચાલન લા. ખજાનચી ત્રિભોવનભાઈ સી. ફૂલ તરિયાએ કર્યું હતું એમ પ્રમુખની યાદીમાં જણાવવામાં આવ્યું.
