હળવદ: હળવદ પંથકમાં કાલે બપોરે બાદ આવેલા વાતાવરણ પલટાના કારણે હળવદના અલગ અલગ ગામોમાં કરા સાથે વરસાદ પડ્યો છે. જેને લઈને ખેડૂતોના મોંમા આવેલો કોળીયો છીનવાયો છે. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલમાં ખેડૂતોએ તૈયાર કરેલો પાક ધાણા, જીરૂં અને ઘઉંનો પાક તૈયાર થયેલો હતો. અને ક્યાંક ખેડૂતોને ખરુ લેવાનું હતું તેવા સમયે જ વરસાદ ત્રાટક્તા ખેડૂતોને મોટાપાયે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.
ત્યારે સરકાર દ્વારા ખેડૂતો સહાય કરે તેવી ખેડૂતોની ઠેર ઠેર માંગ ઉઠી છે. હળવદ તાલુકાના વિવિધ ગામોમાં કાલે બપોરે બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. જેન લઈ ખેડૂતોએ સહાયની માંગ કરી છે. હળવદ પંથકના વરસાદની વાત કરીએ તો રણજીતગઢ, કેદારીયા, ધનાળા, મયુરનગર, રાયસિંગપર, સુસવાવ, પ્રતાપગઢ, ધૂળકોટ, ઘાંટીલા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો હતો. તો ધનાળા ગામે કરા સાથે વરસાદ ખાબક્યો હતો. જેમાં તૈયાર થયેલો પાક વરીયાળી,તમાકુ, એરંડા, સહિતના પાકોમાં વરસાદનું પાણી અડી જતા પાકમાં નુકસાન થયું છે. બીજી તરફ ધાણા, જીરૂ, ઘઉં સહિતનો પાક હાલ ખેડૂતોને તૈયાર થઈ ગયો હોય અને ખરુ લેતા સમયે જ વરસાદ ત્રાટકતા જણસોની ક્વોલિટીમાં અસર થશે જેને લઈને ખેડૂતો સારા નહીં મળે જેથી કરીને આર્થિક રીતે ફટકો પડી શકે છે. જેથી તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરાવી ખેડૂતોને થયેલા નુકસાનની સહિય ચુકવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.
અમદાવાદ કર્ણાવતી ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીની બેઠક મળી જેમાં હિતેશભાઈ ગોપાણી સંગઠન મંત્રી ગુજરાત પ્રાંત મહાસંઘ, દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ, કિરણભાઈ કાચરોલા મંત્રી, સંદિપભાઈ આદ્રોજા સિ. ઉપાધ્યક્ષ,નિરવભાઈ બાવરવા, પ્રચાર મંત્રી,બળદેવભાઈ મેરજા કોષાધ્યક્ષ, મહાદેવભાઈ રંગપડીયા પૂર્ણકાલિન કાર્યકર્તા વગેરેએ ઉપસ્થિત રહી શાળા, બાળકો અને શિક્ષકોની સમસ્યાઓ રજૂ...
લાયન્સ કલબ ઓફ મોરબી સીટી તથા ક્રિષ્ના ચેરીટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા હરિયાળું મોરબી હરિયાળું ગુજરાત અંતર્ગત મોરબીના શનાળા રોડ પર ઉમીયા સર્કલ પાસે શ્રી સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે તારીખ ૦૧-૦૭-૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૦૯ કલાકે વિનામૂલ્યે રોપા વિતરણ કરવામાં આવશે.
મોરબી શહેરના તમામ પર્યાવરણ પ્રેમી જનતાને જણાવવાનું...
ભારત સરકારના રેલ્વે મંત્રાલયના રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ગ્રુપ-ડી (લેવલ-૧)ની ૧૪ જેટલી અલગ અલગ ટેકનિકલ પોસ્ટ માટેની ભરતી અંગેની જાહેરાત બહાર પાડવામાં આવેલ હતી. જે જાહેરાત અન્વયે મોરબી જિલ્લામાં પાત્રતા ધરાવતા હોય તેવા ઉમેદવારોએ અરજી કરી હતી. આ ઉમેદવારો લેખિત પરીક્ષામાં સફળ રહે અને જિલ્લામાંથી વધુમાં વધુ લોકોને રોજગારી...