ટંકારા: તારીખ 28-29 માર્ચના દિવસે બે દિવસીય મિટિંગનું આયોજન ટંકારામાં ખજૂરા હોટેલમાં પશ્ચિમ ભારત મજુર અધિકાર મન્ચ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મજૂરોને પડતી સમસ્યા, મજૂરોના હક અધિકાર અને મજૂરોને મળતા ફાયદાઓ વિસે માહિતી આપવામાં આવી હતી.
આ મિટિંગનું સમગ્ર આયોજન એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ અને મહેશભાઈ ચાવડાએ કર્યું હતું, જેમાં મહેમાનોમાં હાઈકોર્ટના એડવોકેટ અશોક સમ્રાટ, ડો. જ્યંતીભાઈ માકડીયા, CLRAમાંથી રોહિતભાઈ ચૌહાણ, સામાજિક અગ્રણી નાગજીભાઈ ચૌહાણ, એડવોકેટ દિનેશભાઈ વાઘેલા, એડવોકેટ કલ્પના ચાવડા, રમેશભાઈ રાઠોડ, પૂર્વ ન્યાય સમિતિ ચેરમેન મહેશભાઈ લાધવા, રનિંગ તાલુકા પંચાયત સદસ્ય જ્યંતીભાઈ સારેસા, ઈંજીનીયર કલ્પેશ પરમાર, બહુજન યોદ્ધા મુકેશભાઈ પરમાર હાજર રહ્યા હતા, તેમજ બહોળી સંખ્યામાં મજૂરો અને કોન્ટ્રાક્ટરો હાજર રહ્યા હતા.
અષાઢી બીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ રથયાત્રા (શોભાયાત્રા) શહેરના મધ્યભાગ, મચ્છુ માતાજીના મંદિર આસ્વાદ પાન પાસેથી નીકળી સુપર ટોકીઝ- સી.પી.આઇ ચોક, નગરદરવાજા -સોની બજાર-ગ્રીન ચોક- દરબારગઢ થઇ મચ્છુ નદીના કાંઠે આવેલ મચ્છુ માતાજીના મંદિર સુધીના રૂટ ઉપર નીકળનાર છે. આ રથયાત્રામાં મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ...
મોરબી જિલ્લામાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સરકાર માર્ગદર્શન હેઠળ વાહકજન્ય રોગચાળા અટકાયત અને નિયંત્રણ પ્રવૃત્તિના આગોતરા આયોજનના ભાગરૂપે જૂન માસની ‘મેલેરીયા વિરોધી માસ’ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુ દરમિયાન વાહકજન્ય રોગચાળો જેમાં મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનીયા જેવા રોગોનો ઉપદ્રવ જોવા મળતો હોય...
માળીયા મીંયાણામા પોતાના પિયર કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ માળીયા મીંયાણા માલાણી શેરીમાં રહેતા મુસ્કાનબેન આસ્વાદભાઈ જામ (ઉ.વ.૨૨) નામની મહિલાએ કોઈ પણ કારણસર પોતાના પીયર હાજીભાઈના ઘરે ગળાફાંસો ખાઇ જતા મુસ્કાનબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે માળિયા મીંયાણા પોલીસે મૃત્યુ...