મોરબી: મળતી માહિતી મુજબ અરબિંદ રામબાબુ શર્મા ઉ.વ.૨૨ રહે. હાલ. મોરબી-૨, શોભેશ્વર રોડ,જૈન દેરાસર પાછળ. મુળ.રહે. ફાજીલપુર કોઆરી તા.તાજપુર જી.સમષ્ટીપુર (બિહાર) વાળાને તેની પત્ની સાથે ફોનમા બોલાચાલી થયેલ હોય જે બાબતે લાગી આવતા દેવેન્દ્ર શ્રી રામદેવ શર્માના રહેણાંક મકાને પોતાની જાતે પંખામા ચુંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
