આ કેમ્પમાં ૩૯૦ દર્દીઓએ લાભ લીધો હતો તેમજ અત્યાર સુધી ના ૨૦ કેમ્પ માં કુલ ૬૫૧૧ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૪-૨૦૨૩ મંગળવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૩૯૦ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૬૫ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
પ્રવર્તમાન માસ નો કેમ્પ સ્વ.કનુભાઈ કેશવજીભાઈ પંડિત પરિવાર ના સહયોગથી યોજવા મા આવેલ હતો.અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૧૯ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૬૧૨૧ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૨૭૮૮ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૩૯૦ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૬૫ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી, ફીરોઝ ભાઈ તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮,હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫,નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
મોરબી: કન્યાઓના સર્વાંગી વિકાસ અને દ્રષ્ટિ સંરક્ષણના આશયથી તેમજ પ્રિન્સિપાલ નીતાબેન મેરજાના માર્ગદર્શન તથા તમામ શિક્ષકગણની સહકારથી , Eyefoster.com કંપનીના રવાપર રોડ પર આવેલા ચશ્મા ઘરની ટીમ દ્વારા આવતીકાલે તારીખ ૨૪ જુન ને મંગળવારના રોજ મોરબીની શ્રીમતી ડી.જે. પટેલ કન્યા છાત્રાલય ખાતે નિઃશુલ્ક દ્રષ્ટિ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં...
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિતવીક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં...