મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન દ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા:10 – 04 – 2023 (સોમવાર) સમય સવારે 9 થી બપોરના 1 દરમિયાન આર્યતેજ જનરલ હોસ્પિટલ, મું.લક્ષ્મીનગર, 8-A નેશનલ /કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબ ની તપાસ કરી આપવામાં આવશે.
રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી અને બોટાદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરાઈ છે. રાજ્યમાં ચોમાસું સક્રિય થતાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી...
મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક આવેલ રાધે સીરામીકમા પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં ત્રણ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના નીચી માંડલ ગામની સીમમાં આવેલ રાધે સીરામીકમા રહેતા અને કામ કરતા સુનીલભાઈ ડામોરનો ત્રણ વર્ષનો પુત્ર રિતવીક રાધે સીરામીકમા આવેલ પાણીના ટાંકામાં પડી ડૂબી જતાં...
મોરબીના વિજયનગર શેરી-૦૧ માં રહેતા યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેનાથી કંટાળી જઈ યુવકે પોતાના ઘરે ગળાફાંસો ખાઇ જતા યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયનગર શેરી-૦૧ માં રહેતા લક્ષ્મણભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૪૦) નામના યુવકને નાનપણથી આંચકીની બીમારી હોય જેથી પોતાની બીમારીના કારણે જીંદગી છી કંટાળી...