મોરબી: મોરબીના વીશીપરા રણછોડનગરમા ગળોફાસો ખાઈ જતાં યુવકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ આબીદ ઇસુબભાઇ કજુડીયા ઉ.વ.૨૯ રહે.વીશીપરા રણછોડનગર સાઇબાબાના મંદીર સામે નવલખી રોડ મોરબી વાળો ગત તા.૧૩-૦૪-૨૦૨૩ ના રોજ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરે જાતેથી ગળે ફાંસો ખાઇ જતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
