Saturday, June 21, 2025

મોરબી: કાંતિલાલ હવે પ્રજા ને હૈયે ધારણા નથી રહી ! ના છૂટકે રીક્ષા ના ડબલ ભાડા આપી મુસાફરી કરવી પડે છે

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

તાજેતરમાં કાંતિલાલ અમૃતિયા નો એક વિડિઓ પ્રજાજોગ વાઇરલ થયો છે જેમાં પોતે પ્રજાને આશ્વશન આપી ને હૈયે ધારણા રાખવાનું કહે છે હવે જિલ્લો બન્યા બાદ પણ જો પ્રજાને સિટિબસનો લાભ ન મળે તો કેમ હૈયે ધારણા રાખવી ?

મોરબીની પ્રજાએ નગરપાલિકા ની ચૂંટણી દરમિયાન તમામ 52 બેઠક પર ખોબલે મત આપી ભાજપના 52 સભ્યો ચૂંટાવી લાવ્યા હતા પણ તમામ મુરતિયા નિષ્ફળ ગયા છે સિટીમાં કોઈ ખાસ સુખાકારી નથી આપી શક્યા અને પરિણામ શૂન્ય મળ્યું છે મોરબીની પ્રજા એ ખોબલે ખોબલે મત આપી ભાજપ પર વિશ્વાસ મૂકી પાલિકાનું સાશન આપ્યું પણ સુધારાઈ સભ્યોમાં આંતરિક વિવાદ,પાલિકા પ્રમુખના પણ ભ્રસ્ટાચારના વિડિઓ સામે આવી ગયા છે. ભ્રષ્ટચાર થી રંગાયેલી પાલિકા કૌભાંડ ના આક્ષેપ ખુદ કાંતિભાઈ દ્વારા પણ કરવામાં આવ્યા છે પણ એક વાત કાંતિભાઈ એ પણ સ્વીકારો કે તે અન્ય કોઈ પક્ષ ના નહીં તમારાજ પક્ષના છે.

રહી વાત બસની તો પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ એ કેટલીક બસને લીલી ઝંડી આપી અને સુવિધા અપાવી હતી પણ આજે જયારે એજ બસો બંધ કરવાનો વારો આવ્યો છે ત્યારે મૌન આસન કરી ગયા છે તેવું લાગી રહ્યું છે. જો કાંતિભાઈ લોકોને બસ ની સુવિધા આપવાજ માંગતા હોવ તો બસનું યોગ્ય ટાઈમ ટેબલ અને રૂટ નક્કી કરવો કોઈ યોગ્ય ટિકિટ ફાળવાય છે તેના માટે ટિકિટ ચેકર નથી તેવું ણ જાણવા મળી રહ્યું છે તે યોગ્ય કરવો જો આવું થાઈ તો લોકોને અને પાલિકાને પણ ફાયદો થઈ શકે તેમ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર