મોરબી: રાસંગપર ગ્રામજનો ના સહયોગ થી બ્લડ બેંકમાં 70 બોટલ બ્લડ જમા થઈ ! માનવતા મહેકાવી
એક વ્યક્તિનું રક્તદાન અનેકને જીવતદાન
મોરબી પંથક હર હમેશા સેવા સહયોગ માં અગ્રેસર રહ્યું છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી.
ત્યારે ફરીએકવાર માળીયા પંથકમાં આવેલ રાસંગપર ગામમાં રામજી મંદિર પાટોત્સવ અયોજન કરવામાં આવ્યુ હતું.
તે દરમિયાન ગ્રામજનો ના સહયોગથી બ્લડ ડોનેટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો દ્વારા આજરોજ 70 બ્લડ બોટલ એકત્રિત કરવામાં આવી હતી ત્યાર બાદ જરૂરિયાતમંદ માટે સંસ્કાર બ્લડ બેંકમાં જમા કરવામાં આવી હતી
રાસંગપરનાં રામજી મંદિરનીના પાટોત્સવ નિમિત્તે યોજાયેલ રક્તદાન કેમ્પને સફળ બનાવવા શૈલેષભાઈ બાવરવા, મેહુલભાઈ બાવરવા, મહાદેવ ભાઈ, જયંતિ ભાઈ,રમેશભાઈ, મનસુખ ભાઈ, ઠાકરશીભાઈ, રમણિકભાઈ, રાજેશભાઈ, અશોકભાઈએ ખૂબ પ્રયત્નો કર્યા હતાં.