મોરબી નજીક આવેલ રવાપરા ગ્રામપંચાયત એટલે વિવાદનું મોટું ઘર આ પંચાયત માં સરપંચ બનવું એટલે ધારાસભ્ય બરાબર કારણકે આ જિલ્લામાં એકજ આ પંચાયત છે જ્યાં મોટા ભ્રસ્ટાચાર થાય છે અવાર નવાર જિલ્લા કલેકટર ને રજૂઆત કરવા છતાં રાજકારણીઓ કોઈને જવાબ દેવામાં સમજતા નથી કારણ કે આ ભ્રસ્ટાચારમાં સભ્યો થી લઈને કલેકટર સુધી હપ્તા પોહચી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
મોરબી શહેરમાં હરણફાળ વિકાસ થઇ રહ્યો છે આસપાસ રાજ્યના લોકો અહીં રોજગારી મેળવવા માટે આવી રહ્યા છે ત્યારે બાંધકામ પણ દિન પ્રતીદીન વધી રહ્યા છે 2001માં ભૂકંપ આવ્યા બાદ સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરાયેલ હતો જેમાં ગ્રામપંચાયતને 3 માળથી વધુની મંજૂરી આપવી નહિ તેમ છતાં રવાપર ગ્રામપંચાયત દ્વારા 10 માળ સુધીની મંજૂરી એ પણ કોઈપણ સુવિધા વગર અપાઈ રહી છે જેમાં મસમોટા રૂપિયા બિલ્ડર તરફથી પંચાયત ને આપવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે ત્યારે આ નાણાકીય વહીવટને લઈને સરપંચ ઉપસરપંચ તેમજ સભ્યો આંતરિક રીતે ભાગબટાઇમાં નારાજ હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે ત્યારે આ તમામ વિવાદ વચ્ચે ગ્રામપંચાયતના ઉપસરપંચ એ રાજીનામુ આપતા પંચાયતમાં હોબાળો મચી ગયો છે કારણકે મહિલા ઉપસરપંચ દ્વારા ઘરકામ અને સામાજિક કાર્યના કારણે રાજીનામુ આપ્યું હોવાનું જાણવા મળેલ છે જે બાબતે સરપંચ નીતિન ભટાસણા ને કોલ કરતા તેને કોલ માં જવાબ દેવાનું યોગ્ય સમજ્યું નહિ અને કોલ રિસીવ કરવાનું પણ ટાળ્યું હતું તેમજ મંજૂરી આપવામાં આવી છે કે નહિ તેવું બે દિવસ પહેલા પૂછવામાં આવ્યું હતું ત્યારે પણ જવાબ સંતોષકારક ન આપી શક્યા હતા. હાલતો રવાપર ગ્રામપંચાયત ના મહિલા ઉપસરપંચ ના રાજીનામાં પાછળ ભાગબટાઈ ની ચર્ચા એ જોર પકડ્યું છે. જો આ ચર્ચા ખોટી હોય તો જિલ્લા કલેકટરે યોગ્ય તપાસ કરીને બાંધકામની મંજૂરી અટકાવી જોઈએ અને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપવા બદલ તમામ જવાબદારને કાયદાનું ભાન કરાવું જોઈએ
ટંકારા તાલુકાના જબલપુર ગામના નીવાસી પ્રાગજીભાઈ જીવરાજભાઈ પાણનુ આજે તારીખ -૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ ૨૫-૦૯-૨૦૨૫ નેં ગુરૂવારના રોજ સવારે ૦૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી કડવા પટેલ સમાજવાડી જબલપુર મુકામે રાખેલ છે.
નોંધ:- "લૌકિક પ્રથા બંધ...
મોરબીના શનાળા પર આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ઈલાબેન જીતેન્દ્રભાઈ રાઠોડ (ટીફીનવાળા) નું તારીખ- ૨૩-૦૯-૨૦૨૫ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન પામેલ છે પ્રભુ તેમના આત્માને શાંતિ આપે એ ભગવાન પાસે પ્રાર્થના.
સદગતનુ બેસણું તારીખ - ૨૫-૦૯-૨૦૨૫ ને ગુરુવારના સમય સાંજે ૦૪ થી ૦૬ કલાકે અંકુર સોસાયટી શનાળા રોડ મોરબી ખાતે રાખેલ...
મોરબી: વ્યાસ સમાજ જ્ઞાતિની વાડીએ સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિનો આઠમો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો.
જેમાં 58 જેવા વિદ્યાર્થીઓ કે જે કક્ષા 8 થી કોલેજ સુધીમાં 60% કે તેથી ઉપર મેળવીને જ્ઞાતિનું ગૌરવ વધારેલ છે તે તમામનું સન્માન કરી શીલ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યું સાથે સાથે વિદ્યાર્થીને જીવન જરૂરી સાધન સામગ્રી...