ટંકારા તાલુકાના નસીતપર ગામે લોકસેવા ના ભગીરથ કાર્યના લાભાર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ટીફીન સેવા પૂરી પાડતા સદભાવના સંકુલ માટે તા.૨૩/૦૫/૨૦૨૩ ને મંગળવાર ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ સેવા રામામંડળ – પીઠડનું ભવ્ય રામામંડળ નસીતપર ગામનાં આંગણે યોજાશે અને તેમાં એકત્રિત થનાર તમામ રકમ અમદાવાદ સીવીલ હોસ્પિટલમાં ટીફીન સેવા માટે અર્પણ કરવામાં આવશે. તો આ લોકસેવા ના કાર્ય સહભાગી થવા માટે દરેક ધર્મપ્રેમી જનતાને નસીતપર ગામના આંગણે પધારવા નું હાર્દીક આમંત્રણ છે.
છેલ્લે ૧૪ વર્ષથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સેવાના ભેખધારી કાંતિભાઈ કાસુન્દ્રા અને તેના પત્ની ભાવનાબેન કાસુન્દ્રા દ્વારા મોરબી જીલ્લા સહીત ના કોઈપણ દાખલ દર્દીઓ માટે ટીફીન સેવા વિનામૂલ્યે પૂરી પાડે છે જે સેવાકાર્યને પ્રોત્સાહન આપી નાણાકીય મદદ કરવાના હેતુથી સમસ્ત નસીતપર ગામ દ્વારા વિખ્યાત રામા મંડળનું આયોજન કરાયું છે આ પ્રસંગે એકત્રિત થયેલ રકમ સદભાવના પાટીદાર સમાજ સેવા ટ્રસ્ટ અમદાવાદ ખાતે એનાયત કરવામાં આવશે. જે ટિફિન સેવા માટે વાપરવામાં આવશે.
દર્દીના સગાને રહેવા માટે 90 રૂમનુ નવુ બિલ્ડીંગ બનાવવા માટે જમીન ખરીદી છે અને હવે દાતાઓના સહયોગથી ભવન પણ તૈયાર થશે જે આગામી વર્ષોમાં મોરબી જીલ્લાના તમામ દાખલ દર્દીઓના સગા સંબંધી માટે ફાયદો થશે. અમદાવાદ હોસ્પિટલ ખાતે આવતા દર્દી ની સેવા માટે તથા અનુદાન માટે મો.93749 65764 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
મોરબી: મોરબીમાં આજે બપોરે પીએમ એન્ટરપ્રાઈઝની ઓફિસમાંથી એક અજાણ્યા વ્યક્તિ ભૂલથી કારની ચાવી સાથે લઈ ગયેલ છે. તો આ વ્યક્તિને મો.નં. 97376 29276 ઉપર સંપર્ક કરવા રોનકભાઈ દેત્રોજા દ્વારા અપીલ કરવામાં આવી છે.
એલ.ઈ. કોલેજ, ઘુંટુ રોડ ખાતે સેમિનારમાં ઉપસ્થિત રહેવા આચાર્ય દ્વારા અનુરોધ કરાયો
એડમીશન કમીટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સિસ(ACPDC) અમદાવાદ દ્વારા નિયુક્ત નોડલ સંસ્થા, એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) મોરબી દ્વારા તા.૨૧/૦૫/૨૦૨૫ અને તારીખ ૨૬/૦૫/૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે એમ બે 'કારકીર્દી માર્ગદર્શન સેમિનાર'નું આયોજન મોરબી ITI કેમ્પસની બાજુમા, મહેન્દ્રનગર પાણીની ટાંકી સામે,...