મોરબી તાલુકાની ઝીકિયાળી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં પ્રકાશભાઈ કુબાવત બાળ સાહિત્યકાર છે. તેમના બે પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યા છે. બંને પુસ્તકને પારિતોષિક મળેલ છે. પ્રથમ પુસ્તક ‘બાળપરીની વ્યથા ‘ ને બાળ સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલ છે જ્યારે બીજા પુસ્તક ‘પરીરાણીના દેશમાં’ને અંજુ-નરસી વિશિષ્ટ સન્માન-૨૦૨૩ ઘોષિત થયું.
ત્રીજા પુસ્તક ‘પંખીને પાંખો મળી’નું વિમોચન કાયવરણ ખાતે કરવામાં આવ્યું. વિમોચન પ્રવીણભાઈ ઠક્કર,યોગેશભાઈ ગઢવી,ગૌરવભાઈ ભટ્ટ, સતિષભાઈ વગેરેને હસ્તે સંપન્ન થયું. આ કાર્યક્રમમાં બીજા સાત પુસ્તકોનું પણ વિમોચન થયું.આ સ્નેહમિલનમાં એકાવન જેટલા કવિઓએ પોતાની કવિતાનું પઠન કર્યું.
મોરબી શહેરમાં રહેતા આધેડ એક શખ્સ પાસેથી હાથ ઉછીના રૂપિયા લીધેલ હોય જે રૂપિયા અડધા ભરી દિધેલ હોય અને બીજા ભરી ન શકતા આરોપીએ આધેડને ફોન પર ટાઈમે રૂપિયા ભરી જવા ધમકી આપતા આધેડે ફિનાઈલ ગટગટાવ્યું હતું.
મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનથી મળતી માહિતી અનુસાર ફારુકભાઇ મોહમદભાઇ ગલેરીયા (ઉ.વ.૫૧)...
ટંકારા તાલુકાના રોહિશાળા ગામની આથમણી સિંહમાં ઘોઘમના કાંઠે આવેલ ખેતરના છેવાડે બાવળના ઝાડ નીચે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા બે ઈસમોને રોકડ રૂપિયા ૬૫૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ કિં રૂ.૧૬,૫૦૦ નો મુદામાલ ટંકારા પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે અન્ય ત્રણ ઈસમો સ્થળ પરથી નાસી છુટતા તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા...
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા તેના સાથીને મારી નાખવાના ઇરાદે યુવકની ઓરડીના દરવાજા પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલફળી વજેરીવાસમા રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં...