વાતાવરણમાં પલટા થી લોકોને આકરા તાપ થી આંશિક રાહત મળી
મોરબી: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા તા.28 અને 29 દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી જે મુજબ ગઈકાલે સાંજે ચાર વાગ્યા બાદ મોરબી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને તોફાની પવન સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે આજે વહેલી સવારથી જ મોરબી શહેરમાં અને આજુબાજુના કેટલાક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ બની રહ્યું હોય તેવુ દેખાય રહ્યું છે.
તોફોની પવનના કારણે કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશયી થયા હતા. અને આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા હતા. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસતા લોકોને ગરમીમાથી છુટકારો મળ્યો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ત્યારે આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે જેના લીધે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યુ છે અને કાળઝાળ ગરમીથી લોકો ને રાહત મળી છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...