મોરબીઃ અવની ચોકડી નજીક પાણીની સમસ્યાનું સમાધાન ? ખાત મુહર્ત બાદ જોવું રહ્યું પાણી નો નિકાલ કેવો રહે છે
શનાળારોડ ઉમિયા સર્કલથી રવાપર કેનાલ ચોકડી વચ્ચે આવેલ અવની ચોકડી જે શહેરના ઉધોગકારો સરકારી કર્મચારી સહિતના વેપારીઓ વસવાટ કરે છે ચોમાસા દરમિયાન આ ચોકડી પર વરસાદી પાણીની સમસ્યાથી સ્થાનિકો કંટાળીને વિધાનસભા ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીને બેનરો લગાવી પાણીના નિકાલની માંગણી બાદ મતદાન કરવામાં આવશે તેવું જણાવી વિરોધ પ્રદશન કરવામાં આવ્યું હતું ત્યારે ભાજપના અગ્રણીઓને અચાનક વિરોધ યાદ આવતા મતદાતાઓને રિસાવા ખાતમુહુર્તની તૈયારી દર્શાવીને આજરોજ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં ભાજપ અગ્રણીઓ એ 32.66 લાખના ખર્ચે ખાતમુહુર્ત કર્યું હતું અને ધારાસભ્ય કાંતિભાઈ એ જણાવ્યું હતુંકે વર્ષો જૂનો પ્રશ્ન જે છે અવની ચોકડી પર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે તે આગામી ત્રણ મહિનામાં નહિ રહે જેની ગેરેન્ટી આપું છું પણ હવે જોવાનું એ રહ્યું કે ખાતમુહુર્ત બાદ વરસાદી પાણીનો નિકાલ થાય છે કે સ્થાનિકોને એજ હાલાકીનો સામનો કરવો પડશે કે નહિ એ તો કાંતિભાઈની ગેરેન્ટી જ કહી શકશે.