મોરબી વન વિભાગ દ્વારા સામાજીક વનીકરણ નર્સરીઓ હેઠળ પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ/વાવેતર કરાયું
જિલ્લાની નર્સરીઓની વિવિધ ફુલછોડ તથા વડ, લીમડો, પીપડો જેવા વૃક્ષોના ઉછેર અને વાવેતર થકી પ્રકૃતિ સંવર્ધન માં મહત્વની ભૂમિકા
આપણા જીવનમાં વૃક્ષોનું સવિશેષ મહત્વ રહેલુ છે. પર્યાવરણ અને વૃક્ષો તો એકબીજા સાથે સીધા સંકળાયેલા છે. વૃક્ષો વિના પર્યાવરણની કે જીવસૃષ્ટીની કલ્પના કરવી જ નિરર્થક છે. સરકાર દ્વારા પાર્યાવરણના જતન અને વૃક્ષારોપણને આગવું મહત્વ આપવામાં આવે છે. સરકારના વન વિભાગ હસ્તકના સામાજીક વનીકરણ વિભાગ અને તે હસ્તકની નર્સરીઓ દ્વારા વન વિસ્તાર સિવાયના પ્રદેશમાં વધુમાં વધુ વૃક્ષા વાવી શકાય તે તરફ સતત પ્રયાસો કરવામાં આવે છે.
વધુને વધુ વૃક્ષારોપણના સંકલ્પને સાર્થક કરતી આ નર્સરીઓ દ્વારા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને ત્યારબાદ આ રોપાઓનું વિવિધ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરી વૃક્ષોની સંખ્યા વધારવા માટે કાર્ય કરવામાં આવે છે. ઉપરાંત નાગરીકોને પણ રોપાઓનું વિતરણ કરવામાં આવે છે.
મોરબી જિલ્લામાં સામાજીક વનીકરણ વિભાગ હેઠળ વાંકાનેરના પંચાસર અને વરડુસર, મોરબીના મોટા દહીંસરા અને ધરમપુર, રાતકડી-હળવદ ખાતે તથા ટંકારા મિતાણા ખાતે નર્સરીઓ આવેલી છે. જ્યા વિવિધ પ્રકારના રોપાઓને ઉછેરવામાં આવે છે અને તેમનું વાવતેર અથવા વિતરણ કરવામાં આવે છે. આ નર્સરીઓ ખાતે છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૨૫ લાખથી વધુ રોપાઓને ઉછેરી વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું છે. ઉપરાંત આ નર્સરીઓ ખાતે વર્ષ દરમિયાન ૬.૮૫ રોપાઓને ઉછેરીને તેમનું વાવેતર તથા વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મળી કુલ ૧.૫૦ લાખ જેટલા રોપાઓનું વાવેતર કરવામાં આવનાર છે.
વન વિભાગની આ નર્સરીઓ ખાતે વિવિધ પ્રકારના ફુલછોડની સાથે આમળા, બોરસલી, જામફળી, કણજી, લીમડો, સીતાફળ, સરૂ, તુલસી, પીપડો, પેલ્ટાફોરમ, કરેજ, ખાટી આંબલી, વડ, આંબો, દાડમ વગેરે રોપાઓને ઉછેરી વાવેતર તથા વિતરણ કરવામાં આવે છે. સામાજીક વનીકરણ કાર્યક્રમ અન્વયે રોડ, રેલ્વે લાઈન, કેનાલ, ગામડાઓમાં વગેરે જગ્યાઓએ બિનઉપયોગી જમીનમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. આ વૃક્ષારોપણ થકી જે-તે વિસ્તારનું કુદરતી સૌદર્ય વધે છે. અને પર્યાવરણને પણ ફાયદો થાય છે. ઉપરાંત શાળાઓ, કોલેજો, સરકારી સ્કુલો, જાહેર સંસ્થાઓ, પ્રવાસન સ્થળો વગેરે જગ્યાઓએ પણ રોપાઓનું વાવેતર કરી તેની જાળવણી કરવામાં આવે છે.
મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે ખરાબાની જગ્યામાંથી વિદેશી દારૂ બીયર તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ.૧,૪૭,૦૪૦ નો મુદામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના જેપુર ગામની સીમમાં પ્રભુનગર ગેટ બાવળના કાંટ પાસે...
મોરબીના વીસીપરા વિસ્તારમાં સેન્ટમેરી ફાટક પાસે આરોપીના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ/બીયર મળી કુલ કિં રૂ. ૪૦૯૫૦ નો મુદામાલ મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી નવલખી રોડ સેન્ટમેરી ફાટક પાસે રહેતા આરોપી રોહીત મુન્નાભાઈ સરવૈયા એ...
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...