અગમ્ય કારણોસર લાગેલી આગમાં ચંપલના વેપારીનો અંદાજે 5 લાખનો ચંપલનો માલ બળીને ભસ્મ થઈ ગયો હતો.
મોરબી ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડેથી રહેતા બાબુભાઇ નામના ચંપલના વેપારીએ ચંપલ વેચવાનો ધંધો કરતા હોય તેમના ઘરમાં રૂ. 5 લાખનો ચંપલનો જથ્થો રાખ્યો હતો. દરમિયાન આજે કોઈ કારણોસર તેમના મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ઘરમાં રહેલા ચંપલનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને ચંપલનો જથ્થો ભડભડ સળગી ઉઠતા અંદાજે રૂ.5 લાખનો ચંપલનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને બુઝાવી નાખી હતી.જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેવું ફાઇર ફાઈટરના જવાનો એ જણાવ્યું હતું.
૭૦ વર્ષના દર્દી જેમને જમણા પડખામાં દુખાવો, પેશાબમાં બળતરા, ઉલટી જેવા લક્ષણો હતા, તે આયુષ હોસ્પિટલમાં બતાવા માટે આવેલા. જ્યાં ડૉ. કેયુર પટેલ દ્વારા આગળ સી.ટી. સ્કેન કરતા જણાયું કે દર્દીની જમણી કીડની ની નળી માં પથરી ફસાઈ ગયેલ છે. દર્દીને પથરી લાંબા સમયથી ફસાયેલ હોવાથી જમણી કીડનીમાંથી પેશાબ...
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...