અગમ્ય કારણોસર લાગેલી આગમાં ચંપલના વેપારીનો અંદાજે 5 લાખનો ચંપલનો માલ બળીને ભસ્મ થઈ ગયો હતો.
મોરબી ફાયર બ્રિગેડ વિભાગના કર્મચારીના જણાવ્યા પ્રમાણે સામાકાંઠે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ભાડેથી રહેતા બાબુભાઇ નામના ચંપલના વેપારીએ ચંપલ વેચવાનો ધંધો કરતા હોય તેમના ઘરમાં રૂ. 5 લાખનો ચંપલનો જથ્થો રાખ્યો હતો. દરમિયાન આજે કોઈ કારણોસર તેમના મકાનમાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા ઘરમાં રહેલા ચંપલનો જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો અને ચંપલનો જથ્થો ભડભડ સળગી ઉઠતા અંદાજે રૂ.5 લાખનો ચંપલનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ઘરમાં લાગેલી આગ ઉપર પાણીનો મારો ચલાવીને બુઝાવી નાખી હતી.જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. તેવું ફાઇર ફાઈટરના જવાનો એ જણાવ્યું હતું.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ" અંગે કડક કાર્યવાહી કરતી મોરબી પોલીસ દ્વારા કરવામાં આવી હતી જેમાં ૩૮૯ સ્કૂલ વાન ચેક કરવામાં આવી હતી.
મોરબી જીલ્લામાં 'અંડર-એજ ડ્રાઇવીંગ કરતા સગીર વયના બાળકો તથા સ્કુલ વાન ઉપર સ્પેશીયલ વાહન ચેકિંગ ડ્રાઇવ”...
મોરબી જિલ્લામાં વાંકાનેર પાસેના મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી બામણબોર ઉદવહન સિંચાઈ યોજના માટે બનાવવામાં આવેલ પંપિંગ સ્ટેશનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ શાસ્ત્રોક્ત વિધિ કરી લોકાર્પણ કર્યું હતું.
મચ્છુ ૧ ડેમ સિંચાઈ યોજનામાંથી પાણી ઉદવહન કરી બામણબોર નાની સિંચાઈ યોજનાના લાભાર્થી ખેડૂત ખાતેદારોને સિંચાઈનું પાણી આપવા માટે જળ સંપતિ વિભાગ...
પ્રાકૃતિક કૃષિ એ માત્ર ખેતીની એક પદ્ધતિ નથી, પરંતુ એક જીવનશૈલી છે, જે પ્રકૃતિ સાથે સંનાદમાં રહીને વસુંધરા અને જીવસૃષ્ટિનું સંવર્ધન કરે છે. આ પદ્ધતિમાં રાસાયણિક ખાતરો, જંતુનાશકો અને કૃત્રિમ ઉપાયોનો ઉપયોગ ટાળીને જમીનની ફળદ્રુપતા, પાણીની શુદ્ધતા અને જૈવવિવિધતાને જાળવવા પર ભાર મૂકવામાં આવે છે. પ્રાકૃતિક કૃષિ એ પૃથ્વીને...