મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ.નાથાભાઈ તથા ભાવેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૨૯૮ દર્દીઓએ લાભ લીધો
અત્યાર સુધી ના ૨૨ કેમ્પ માં કુલ ૭૧૨૩ લોકોનુ વિનામુલ્યે સચોટ નિદાન થયું.
સંતો-મહંતો ની પ્રેરક ઉપસ્થિતી માં ભંડારો પણ યોજાયો હતો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીના ની ૪ તારીખે શહેર ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત તા.૪-૬-૨૦૨૩ રવિવાર ના રોજ સવારે ૯ થી ૧ કલાક દરમિયાન વિનામુલ્યે કેમ્પ યોજાયો હતો. જેમા ૨૯૮ દર્દીઓએ કેમ્પ નો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૦ લોકો ના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખ ના દર્દી ઓ ની તપાસ કરવા મા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવા મા આવ્યુ હતુ. ઓપરેશન માટે રાજકોટ જવા-આવવા ની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવા મા આવી રહી છે.
આ પ્રસંગે સાધુ-સંતો માટે ભંડારો યોજવા માં આવ્યો હતો જેમા. રામધન આશ્રમ ના મહંત પૂ.ભાવેશ્વરી બેન, પૂ. રત્નેશ્વરી બેન, નિરંજનદાસજી મહારાજ-મોરબી, ભુષણજી મહારાજ-અયોધ્યાપુરી મંદિર, હંસાગીરી માતાજી-ગીરનારી આશ્રમ, લાભુગીરી બાપુ-સપ્તેશ્વર મહાદેવ, પ્રવિણગીરી બાપુ-સિધ્ધેશ્વર મહાદેવ સહીત ના બહોળી સંખ્યા માં સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જલારામ મંદિર ખાતે ગત ૨૧ માસ દરમિયાન યોજાયેલ નેત્રમણી કેમ્પ મા કુલ ૬૮૨૫ લોકોએ લાભ લીધેલ છે તેમજ કુલ ૩૦૪૧ લોકો ના વિનામુલ્યે સફળ નેત્રમણી ઓપરેશન કરવા મા આવેલ છે ત્યારે પ્રવર્તમાન માસે યોજાયેલ કેમ્પ મા કુલ ૨૯૮ લોકોએ લાભ લીધો હતો તેમજ ૧૨૦ લોકો ના વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા.
કેમ્પ ને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી,અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ,અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની,ભરતભાઈ મીરાણી, મુકુંદભાઈ મીરાણી, રમણીકભાઈ ચંડીભમર, કીશોરભાઈ ઘેલાણી, દીનેશભાઈ સોલંકી તથા શ્રી જલારામ સેવા મંડળ, શ્રી જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ના આગેવાનો એ જહેમત ઉઠાવી હતી. દર મહીના ની ૪ તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગ ની કોઈ આવશ્યતા નથી. કેમ્પ મા તપાસ માટે દર્દી નુ આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે.
વધુ માહીતી માટે ગીરીશભાઈ ઘેલાણી-૯૮૨૫૦૮૨૪૬૮, હરીશભાઈ રાજા-૯૮૭૯૨૧૮૪૧૫, નિર્મિતભાઈ કક્કડ-૯૯૯૮૮૮૦૫૮૮, અનિલભાઈ સોમૈયા-૮૫૧૧૦૬૦૦૬૬ પર સંપર્ક કરવા સંસ્થાએ યાદી મા જણાવ્યુ છે.
પ્રજાની યાદ હવે કેમ આવી ..પ્રજા જાગી અને સુવિધા માંગી રહી છે એટલે કે ગોપાલ ઇટાલીયા મોરબી આવી પોલ ના ખોલે એટલે કે પછી કોગ્રેસ મહાનગરપાલિકાનો પ્રજાને સાથે લઈને ઘેરાવ કરવાના છે એટલે ?
છેલ્લા ચાર દિવસથી આ મોરબી જિલ્લામાં લોકો પ્રશ્નને લઈને રસ્તા રોકો આંદોલન કરી રહ્યા છે. છેલ્લા...
જીલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિના સિધા માર્ગદર્શન હેઠળ આજે ૧૧ જુલાઈ ૨૦૨૫ વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કરવામાં આવી.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે. શ્રીવાસ્તવ જણાવ્યું કે વિશ્વ વસ્તી દિવસના ઉજવણી નું આ વર્ષનું સૂત્ર "મા બનવાની ઉમર એ જ જયારે...
હળવદ: વાહન ચોરીના રીઢા આરોપીને ચોરીના ત્રણ મોટરસાયકલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયો છે.
હળવદ પોલીસ સ્ટાફને મળેલ બાતમી મુજબ આરોપી શક્તિ સુખાભાઈ કેશાભાઈ વીંછીયા (ઉ.વ.૨૧) હાલ રહે ગામ રાજપર તા. ધાંગધ્રા જી.સુરેન્દ્રનગર મુળ રહે ગામ કુંડા તા. ધ્રાગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાને ચોરીના મોટર સાયકલ-૧ સાથે પકડી તેને વિશ્વાસમાં લઇ આગવી...