શિબિરમાં હાજર લોકોનું “પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ” બનાવવામાં આવેલ છે. હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કરવાના કામનું આયોજન થશે. સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. ચિંતન શિબિરમાં ચર્ચાસત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ. બાલાસાહેબે નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી, નક્કર આયોજન માટે મહત્વની વાતો કરેલી. નિવૃત્ત કલેકટર સી.જે. પટેલ તમામ કામગીરીમાં સહકારની ખાત્રી આપેલ. દીલીપકુમાર પૈજાએ પર્યાવરણનું મહત્વ ધર્મ અને વૈદિક ગ્રંથો દ્વારા સમજાવી કામની મહત્વતાનો ખ્યાલ આપી પોતાને પણ ટીમમાં સામેલ કરવા જણાવેલ. આભારવિધિ ડૉ. પનારાસાહેબે કરેલી. શિબિરમાં મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક “ફળપાકોની પ્રાકૃતિક ખેતી”નું વિમોચન કરાયું.
સતત સાડા ત્રણ કલાક સુધી હાજર સભ્યોએ ગંભીરતાથી ચિંતન કરેલ અને સમૂહભોજન બાદ નકકર કામમાં સહભાગી થવાના અહેસાસ સાથે ફરી મળવાના સંકલ્પ કરી છૂટા પડેલ.
સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ સફળતા પૂર્વક નિભાવેલી.
“પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ”માં સામેલ થવા તથા આ ઈશ્વરીય કાર્યમાં સહભાગી કે મદદરૂપ થવા ડૉ. મનુભાઈ કૈલા (૯૮૨૫૪૦૫૦૭૬), પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨૩૨૪૦૦) કે જીલેશભાઇ કાલરિયા (૯૯૨૪૮૮૮૭૮૮) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂ. ૯,૬૮,૦૦૦/- નો મુદ્દામાલ મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન સર્વેલન્સ પોલીસ સ્ટાફને બાતમી મળેલ કે, એક સફેદ કલર...
તારીખ 12 નવેમ્બરના રોજ રાત્રે એક સજ્જન વ્યક્તિ દ્વારા 181 માં ફોન આવેલ કે એક મહિલા મળી આવેલ છે માટે મદદની જરૂર છે.
ત્યારબાદ કેસ આવતા ની સાથે જ તાત્કાલ 181 ટીમ ઘટના સ્થળે પહોંચેલ 181 ટીમના કાઉન્સેલર સેજલ પટેલ કોન્સ્ટેબલ ખ્યાતીબેન પાયલોટ મહેશભાઈ તે મહિલા સુધી પહોંચેલ તે સજ્જન...