શિબિરમાં હાજર લોકોનું “પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ” બનાવવામાં આવેલ છે. હાજર નથી રહી શકેલ તેવા પર્યાવરણ પ્રેમીઓને આ મંડળમાં જોડાવા આહ્વાન કરાયું છે. ગામેગામ ૭ વ્યક્તિની સમિતિ બનાવી કરવાના કામનું આયોજન થશે. સમિતિમાં પર્યાવરણ પ્રેમીઓ, શિક્ષક, સરપંચ, ધાર્મિક સંસ્થાન અને સ્થાનિક ઉદ્યોગપતિને સામેલ કરાશે. આ જ રીતે તાલુકા કક્ષાની ટીમ અને જિલ્લા કક્ષાની ટીમ બનાવવાની છે. જિલ્લા કક્ષાએ બે ટીમ બનાવી એક ટીમને ઉદ્યોગકારો સાથે સંકલન કરી કામને વેગ આપવાની જવાબદારી અપાશે. ચિંતન શિબિરમાં ચર્ચાસત્રનું સંચાલન ડૉ. મનુભાઈ કૈલાએ સંભાળેલ. બાલાસાહેબે નવરંગ નેચર ક્લબની પ્રવૃત્તિઓની ઝલક આપી, નક્કર આયોજન માટે મહત્વની વાતો કરેલી. નિવૃત્ત કલેકટર સી.જે. પટેલ તમામ કામગીરીમાં સહકારની ખાત્રી આપેલ. દીલીપકુમાર પૈજાએ પર્યાવરણનું મહત્વ ધર્મ અને વૈદિક ગ્રંથો દ્વારા સમજાવી કામની મહત્વતાનો ખ્યાલ આપી પોતાને પણ ટીમમાં સામેલ કરવા જણાવેલ. આભારવિધિ ડૉ. પનારાસાહેબે કરેલી. શિબિરમાં મોરબીના પ્રખ્યાત પર્યાવરણ પ્રેમી લેખકના છઠ્ઠા પુસ્તક “ફળપાકોની પ્રાકૃતિક ખેતી”નું વિમોચન કરાયું.
સતત સાડા ત્રણ કલાક સુધી હાજર સભ્યોએ ગંભીરતાથી ચિંતન કરેલ અને સમૂહભોજન બાદ નકકર કામમાં સહભાગી થવાના અહેસાસ સાથે ફરી મળવાના સંકલ્પ કરી છૂટા પડેલ.
સમગ્ર કાર્યક્રમના સંચાલનની જવાબદારી જીલેશભાઇ કાલરિયાએ સફળતા પૂર્વક નિભાવેલી.
“પર્યાવરણ રક્ષક મિત્ર મંડળ”માં સામેલ થવા તથા આ ઈશ્વરીય કાર્યમાં સહભાગી કે મદદરૂપ થવા ડૉ. મનુભાઈ કૈલા (૯૮૨૫૪૦૫૦૭૬), પ્રાણજીવન કાલરિયા (૯૪૨૬૨૩૨૪૦૦) કે જીલેશભાઇ કાલરિયા (૯૯૨૪૮૮૮૭૮૮) નો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવે છે.
મોરબી તાલુકાના જેતપર ગામે યુવકના ઘર પાસે ત્રણ શખ્સો ફોર વ્હીલ કાર લઈને આવી યુવકની માતા અને ભાઈ સાથે ઝઘડો કરી યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ડર બતાવી કુલ રૂપિયા ૬,૦૪,૦૦૦ ની લુંટ કરી લઈ ગયા હોવાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી...
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રણછોડનગર શેરી નં -૦૧ મહાદેવજીના મંદિર પાસે આરોપીના ઘરની સામે કાંટાની વાડમાંથી વિદેશી દારૂની ૨૦ બોટલ કિં રૂ. ૧૧૦૦૦ નાં મુદામાલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના...