કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા 15 જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રખાઈ : ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા
સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે અને સામાજિક તથા સેવાકીય સંસ્થાઓએ પણ ફૂડ પેકેટ તૈયાર કરવા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટું ગામમાં આવેલ કિરણ જનરેટર & ક્રેઇનના સંચાલક રણછોડભાઈ મગનભાઈ સંઘાણી અને વસંતભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર કે સંસ્થાઓને જનરેટર કે ક્રેઇનની જરૂરીયાત હોય તો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે. કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા ૧૫ જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ક્રેઈન કે જનરેટરની સર્વિસ માટે રણછોડભાઈ સંઘાણી – ૯૮૨૫૦૪૩૬૮૫, વસંતભાઈ સંઘાણી – ૯૮૨૫૨૨૬૬૮૫ અને અમૃતભાઈ સંઘાણી – ૯૮૨૫૧૪૭૬૮૫ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની છ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબી તાલુકાના રફાળેશ્વર ખોડિયાર માતાજીનાં મંદિર સામે સર્વીસ રોડ પરથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૬ કિં...
હળવદ તાલુકાના મયુરનગર ગામના ઝાંપા પાસે આધેડ બેઠેલ હોય ત્યારે આરોપી ત્યાં આવી આધેડને જાતી પ્રત્યે હડધૂત કરી ગાળો બોલી ઢીકાપાટુનો મારમારી પથ્થર વડે ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા અશોકભાઇ હીરાભાઈ સોલંકી (ઉ.વ.૪૫)...
રાજકોટ મોરબી હાઈવે રોડ ઉપર મીતાણા ગામે મેલડી માતાજીના મંદિર નજીક કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ડીવાઈડર ટપી સામેની સાઈડ બીજી કાર સાથે અથડાઈ અકસ્માત સર્જાયો હતો જેમાં યુવકનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ આરોપી કાર ચાલક વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ...