કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા 15 જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રખાઈ : ફૂડ પેકેટ પણ તૈયાર કરાયા
સંભવિત બિપરજોય વાવાઝોડાને પગલે મોરબી વહીવટી તંત્ર સજ્જ બની ગયું છે અને સામાજિક તથા સેવાકીય સંસ્થાઓએ પણ ફૂડ પેકેટ તૈયાર કરવા સહિતની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દિધો છે ત્યારે મોરબી તાલુકાના ઘુંટું ગામમાં આવેલ કિરણ જનરેટર & ક્રેઇનના સંચાલક રણછોડભાઈ મગનભાઈ સંઘાણી અને વસંતભાઈ મગનભાઈ સંઘાણી દ્વારા વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટી તંત્ર કે સંસ્થાઓને જનરેટર કે ક્રેઇનની જરૂરીયાત હોય તો વિનામૂલ્યે આપવાની જાહેરાત કરવામાં આવી છે. કિરણ જનરેટર & ક્રેઇન દ્વારા ૧૫ જનરેટર અને બે ક્રેઇન સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તેમજ અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટ પણ તૈયાર કરવામાં આવ્યા છે. ક્રેઈન કે જનરેટરની સર્વિસ માટે રણછોડભાઈ સંઘાણી – ૯૮૨૫૦૪૩૬૮૫, વસંતભાઈ સંઘાણી – ૯૮૨૫૨૨૬૬૮૫ અને અમૃતભાઈ સંઘાણી – ૯૮૨૫૧૪૭૬૮૫ નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
મોરબી: ઉમા વિદ્યા સંકુલના પ્રમુખ અશ્વિનભાઇ અને હર્ષદભાઇ ના પિતા સ્વ.પોલજીભાઈ ભગવાનજીભાઈ અઘારાનું તારીખ 12/11/2025ના રોજ દુઃખદ અવસાન થયું છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. તેમનું બેસણું તારીખ 14/11/2025ને સવારે 8 થી 10 કલાકે નવી પીપળી પ્લોટ વિસ્તાર, પાણીના ટાંકા પાસે રાખેલ છે.
નોંધ:- તા. ૨૨/૧૧/૨૦૨૫...
મોરબીના સામાજિક કાર્યકરો દ્વારા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે અગાઉ નગરપાલીકા કાર્યરત હતી ત્યારે મોરબી શહેરની આસપાસના ગામડાઓ માટે બસ સેવા સુચારૂ રીતે ચાલી રહી હતી પરંતુ વર્ષ ૨૦૨૫ માં મોરબીને મહાનગરપાલીકાનો દરજજો મળ્યા ત્યાર બાદ આજ સુધી આ બસ સેવા સંપુર્ણપણે બંધ છે જેના...
મુકેશભાઈ નામના દર્દી ઉમર વર્ષ 33, નું અકસ્માત થતાં મગજમાં ખુબજ ગંભીર ઇજા પોહચી હતી અને મગજના ભાગે ઇજા ના કારણ થી લોહીની નશની ફૂટ થવાથી હેમરેજ થયું અને ભાન અવસ્થા ખોરવાઈ હતી.
જે બાદ તાત્કાલિક આયુષ હોસ્પિટલ ખાતે ઈમરજન્સીમાં લવાયા અને ન્યૂરો સર્જન ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા તાત્કાલિક...