મોરબી: એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેરના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકાના સિરામિકસિટી, ભડિયાદ, જવાહરનગર, જાંબુડિયા, લાલપર, મકનસર, પ્રેમજી નગર, પાનેલી, લઘધિરપુર, ઉચી માંડલ, નીચી માંડલ, ઘૂટુ, પીપળી, બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટોનું વિતરણ કરવામાં આવ્યું.જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સક્ષમ નથી.
આ કાર્યને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી અશ્વિની કુમારમની, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચ, આશાવર્કર, ગામના આગેવાનો ના સહયોગથી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.
મોરબી ઉધોગની નગરી તરીકે સુખ્યાત છે. મોરબીને કલા-સાહિત્યકારથી સમૃદ્ધ છે. એમાં એક સાહિત્ય સર્જક-વિવેચક-સંશોધક-સંપાદક તરીકે ડૉ. ભાવેશ જેતપરિયાનું નામ અને કામ સુવિદિત છે. તેઓએ ૩૫ વરસ અધ્યાપક તરીકે ઉત્તમ સેવા આપી છે. હાલ નિવૃતિમાં પ્રવૃત્તના ભાગરૂપે લેખ અને ગ્રંથ લખે છે.
રવિ-ભાણ સંપ્રદાયના હસ્તપ્રતોમાં રહેલ સંતકવિ જીવા ભગતના સંતસાહિત્ય પર...
માળિયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે કોઈ કારણસર ગળેફાંસો ખાઈ જતાં પરિણીતા મહિલાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ સોનલબેન અરવિંદભાઇ મોરવાડીયા (ઉ.વ.૩૨) રહે. વવાણીયા વાળા પોતાના ઘરે કોઈપણ કારણોસર પોતાની જાતે ગળેફાંસો ખાઇ જતા મહિલાનું મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ અંગે માળિયા મીયાણા તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ...