મોરબી: ગઈ કાલ તા. ૦૧-૦૭-૨૦૨૩ ને શનીવાર ના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી વિશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો દ્રિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી. અને તપસ્વીઓ, દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કરવા માટે શેઠ પ્રવીણભાઈ રવિચંદભાઈ અમદાવાદી તથા ભાવનાબેન પ્રવિણભાઈ અમદાવાદી પરીવાર તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સરસ્વતી સન્માન સમારોહ પુર્ણ થયા બાદ સમસ્ત મોરબી સુખડીયા જ્ઞાતી દ્વારા ભોજન કરી છુટા પડ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...