મોરબી: ગઈ કાલ તા. ૦૧-૦૭-૨૦૨૩ ને શનીવાર ના રોજ મોરબીના નવા ડેલા રોડ પર આવેલા શ્રી વિશાશ્રી માળી વણીક જ્ઞાતિની વાડી ખાતે મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો દ્રિતીય સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો જેમાં તેજસ્વી તારલાઓને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરવામાં આવી. અને તપસ્વીઓ, દાતાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું.
આ સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમમાં મોરબી સુખડીયા સમાજના વિદ્યાર્થીઓનો પ્રોત્સાહિત કરવા માટે શેઠ પ્રવીણભાઈ રવિચંદભાઈ અમદાવાદી તથા ભાવનાબેન પ્રવિણભાઈ અમદાવાદી પરીવાર તેમજ મોરબી માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતીયા ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે સરસ્વતી સન્માન સમારોહ પુર્ણ થયા બાદ સમસ્ત મોરબી સુખડીયા જ્ઞાતી દ્વારા ભોજન કરી છુટા પડ્યા હતા.
અમદાવાદ: ગુજરાતમાં સક્રિય બનેલી પ્રિમોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રાત્રિ દરમિયાન તોફાની પવન, ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી લોકોને કાળઝાળ ગરમીમાંથી મોટી રાહત મળી છે, પરંતુ બીજી તરફ અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થતાં અને વૃક્ષો...
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...