લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા રણછોડ નગર હનુમાનજી મંદિરના પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવવામાં આવ્યું.
મોરબી: લાયન્સ ક્લબ મોરબી સીટી દ્વારા હર હંમેશ અનેક સેવાના પ્રોજેક્ટ કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ ગુરૂવારના પવિત્ર એકાદશીના રોજ નવલખી રોડ ઉપરના રણછોડ નગર ખાતે આવેલ સાંઈ મંદિર તેમજ હનુમાનજી મંદિર ના પટાંગણમાં રણછોડ નગર વિસ્તારના બાળકોને અને પરિવારના આશરે ૩૫૦/- નાનામોટાને સાંજનું ભોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સૌજન્યથી તથા સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર ના સહયોગથી કરાવવામાં આવ્યું.
આ તકે ઉપસ્થિત મોરબી સિટીના પ્રમુખ કેશુભાઈ દેત્રોજા, લાયન્સ ઇન્ટરનેશનલના સૌરાષ્ટ્ર કચ્છનાં પ્રથમ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા તેમજ પૂર્વ પ્રમુખ લા. ભીખાભાઈ લોરીયા, સેક્રેટરી લા. ટી.સી. ફુલતરીયા ખજાનચી લા. મણિલાલ કાવર, લા. પ્રાણજીવનભાઈ રંગપડીયા, લા. મહાદેવભાઈ ચીખલીયા, લા. મહાદેવભાઈ ઉટવાડીયા તેમજ લા નાનજી ભાઈ મોરડીયા મંદિરના મહંત બાબુભાઈએ બાળકોને તેમજ દરેકને હરિહરની હાકલ કરી પ્રથમ દરેક દેવોને લાયન્સ ક્લબના પ્રમુખ અને લાયન્સ સભ્યો અને મહંત બાબુભાઈના હસ્તે થાળ ધરાવી હનુમાનજી મંદિરનાં પટાંગણમાં બાળકોને બટુક ભોજન કરાવેલ તેમ મંત્રી ટી.સી. ફુલતરીયા એ જણાવેલ.
બન્ને ટીમો સહીત અન્ય કેટેગીરીના ખેલાડીઓને પણ જ્ઞાતિ અગ્રણીઓના હાથે ટ્રોફી આપવા સાથે ઉત્તરોતર પ્રગતિ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી.
મોરબી વ્યાસ યુવા સંગઠન દ્વારા તારીખ 28 ને રવિવારના રોજ ધ રોઅર ક્રિકેટ એકેડેમીના મેદાન ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતુ. મોરબી મચ્છુકાંઠામાં રહેતા તમામ વ્યાસ યુવાનો દ્વારા ક્રિકેટ...
મોરબી તાલુકાના નીચી માંડલ થી વાંકડા તરફ જવાના રસ્તે આવેલ કેનાલમાં એક અંદાજે આઠ વર્ષનો બાળક ડૂબી ગયો હોવાની જાણ નીચી માંડલ ગામના સરપંચ દ્વારા મોરબી ફાયર વિભાગને કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટનાસ્થળે પહોંચી રેસક્યુ કામગીરી હાથ ધરી છે હજું...