મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખીધરગઢ ગામે ગામના વડીલ આગેવાનોના હસ્તે શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું.
આ તકે શહીદ વીરો, આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. લખધીરગઢ ગામનાં નિવૃત આર્મીમેન ઢેઢી ચેતનભાઈ, બાવરવા બિપીનભાઈ તેમજ ફેફર દલસુખભાઈનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. વસુધાવંદન કાર્યક્રમ અંતર્ગત માતૃશક્તિના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પંચપ્રાણ કાર્યક્રમ હેઠળ હાથમાં માટીનાં દીવડાં સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી. માટી કળશમાં એકત્ર કરી કળશ યાત્રા કરવામાં આવી. સરપંચના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ તેમણે પોતાના વક્તવ્યમાં કાર્યક્રમની વિસ્તૃત છણાવટ કરી.
“મારી માટી મારો દેશ” કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હીનાબેન દેવમુરારી, તલાટી મંત્રી નિકીતાબેન ભેંસદડિયા અને ધર્મિષ્ઠાબેન ઢેઢી તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીવતીબેન પીપલીયા દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતે દાતા ધર્મિષ્ઠાબેન ઢેઢી તરફથી બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....