મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના લખીધરગઢ ગામે ગામના વડીલ આગેવાનોના હસ્તે શિલાફલકમનુ અનાવરણ કરવામાં આવ્યું.
આ તકે શહીદ વીરો, આર્મીમેન તેમજ નિવૃત્ત જવાનોને પણ યાદ કરવામાં આવ્યા હતા. લખધીરગઢ ગામનાં નિવૃત આર્મીમેન ઢેઢી ચેતનભાઈ, બાવરવા બિપીનભાઈ તેમજ ફેફર દલસુખભાઈનુ શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. વસુધાવંદન કાર્યક્રમ અંતર્ગત માતૃશક્તિના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પંચપ્રાણ કાર્યક્રમ હેઠળ હાથમાં માટીનાં દીવડાં સાથે પ્રતિજ્ઞા લેવામાં આવી. માટી કળશમાં એકત્ર કરી કળશ યાત્રા કરવામાં આવી. સરપંચના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ તેમણે પોતાના વક્તવ્યમાં કાર્યક્રમની વિસ્તૃત છણાવટ કરી.
“મારી માટી મારો દેશ” કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય હીનાબેન દેવમુરારી, તલાટી મંત્રી નિકીતાબેન ભેંસદડિયા અને ધર્મિષ્ઠાબેન ઢેઢી તેમજ શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જીવતીબેન પીપલીયા દ્વારા કરવામાં આવ્યું.કાર્યક્રમના અંતે દાતા ધર્મિષ્ઠાબેન ઢેઢી તરફથી બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું.
હળવદ પોલીસ સ્ટેશનના અપહરણ મના ગુનામાં નાસતા ફરતા આરોપી તથા ભોગબનનારને મહેસાણા જીલ્લાના બાવલુ ખાતેથી મોરબી AHTU ટીમે ઝડપી પાડયા છે.
મોરબી જીલ્લામાં અપહરણ તથા ગુમ થયેલ વ્યકતિઓને શોધી કાઢવા AHTU ટીમને જરૂરી માર્ગદર્શન તથા સુચના કરેલ હોય જેથી મોરબી AHTU ટીમના સ્ટાફને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ...
ટંકારામાં આવેલ યુવકના મકાન પર ગેરકાયદેસર કબજો કરી મકાન પચાવી પાડનાર પાંચ ઇસમો વિરુદ્ધ યુવકે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા રંગપર ગામે રહેતા અને વેપાર કરતા અંતિમસિંહ બનેસંગ જાડેજા (ઉ.વ.૩૯) એ આરોપી અમીનશા અલીશા સરવદી, આસીફ અલીશા સરવદી, અલ્તાફ અલીશા સરવદી, અબ્દુલ...