મોરબી:વિદ્યાર્થીઓ વિજ્ઞાનના સિદ્ધાંતોને જાણે સમજે અને રોજ બરોજના જીવનમાં વિજ્ઞાનનો વિનિયોગ કરતા થાય વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે સ્વનિર્મિત સાધનો બનાવતા થાય શીખેલું ભણેલું વધુ દ્રઢ થાય એ માટે અત્રેની માધાપરવાડી કુમાર શાળામાં વિજ્ઞાન-ગણિત પ્રદર્શનનું અદકેરું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરેલી કુલ 25 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં બિન પરંપરાગત વિધુત સ્ત્રોતથી માનવજીવન અને પર્યાવરણનું રક્ષણ, 3D હોલોગ્રામ,ગ્લોબલ વોર્મિંગ આધારિત,હવાના દબાણ, જળ વ્યવસ્થાપન, ચકડોળ જેવી કૃતિઓ વૈજ્ઞાનિક સિદ્ધાંત સહીત રજુ કરવામાં આવી હતી. માધાપરવાડી કુમાર અને કન્યા બન્ને શાળાના દરેક વિદ્યાર્થીઓએ કૃતિઓ નિહાળીને રસપ્રદ રીતે વૈજ્ઞાનિક સિદ્ધાંતોની માહિતી મેળવી હતી.
આ બધી કૃતિઓને તૈયાર કરવા માટે શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકો પ્રફુલભાઈ સાણંદિયા અને અનિલભાઈ સરસાવાડીયાએ બાળકોને માર્ગદર્શન આપ્યું હતું શાળાના આચાર્ય તુષારભાઈ બોપલિયા અને સમગ્ર સ્ટાફે કૃતિઓનું નિરીક્ષણ કરીને બાળકોને પ્રોત્સાહન અને પ્રેરણા પૂરી પાડી હતી.એમ સંદીપભાઈ લોરીયા તાલુકા અધ્યક્ષ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મોરબી દ્વારા ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત લખધીરગઢ પ્રાથમિક શાળામાં સેલ્ફ ડિફેન્સ અંગે વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેટર મયુરભાઈ સોલંકી દ્વારા દીકરીઓને આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો અને દરેક મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે અંગે પ્રેરણાદાયક માર્ગદર્શન...
મોરબી તાલુકાના બીલીયા ગામ પાસે ભટ્ટ પરિવાર દ્વારા સુરાપુરા ધામ મંદિરના પટાંગણમાં વૃક્ષારોપણ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેવામાં બીલીયા ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણનું જતન થાય તે માટે થઈને ભટ્ટ પરિવારના સુરાપુરા ધામના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ત્યારે બીલીયા ગામની શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ ભટ્ટ પરિવારના...
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે...