વિશ્વઉમિયાધામ મંદિરના નિર્માણ અર્થે દાતાઓએ 7 કરોડનું દાન જાહેર કર્યું
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણાધીન વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના સહયોગ અર્થે અમદાવાદના ઘાટલોડિયામાં શિવમહાપુરાણ કથાનું આયોજન કરાયું હતું. શ્રાવણ માસમાં પરમ પિતા શિવ અને મા ઉમિયાની આરધાન કરવી એ શ્રેષ્ઠતમ પુણ્યની વાત છે ત્યારે પૂજ્ય રાજેન્દ્રપ્રસાદ શાસ્ત્રીજીના સ્વમુખેથી શિવપુરાણનું રસપાન કરાયું છે. જેમાં દરરોજ 2500થી વધુ મા ઉમિયાના ભક્તોએ લાભ લીધો હતો. મહત્વનું છે કે શિવમહાપુરાણ કથામાં પાટીદાર સહિત તમામ સમાજના ભક્તોએ લગભગ 7 કરોડથી વધુના દાનની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે શિવમહાપુરાણ કથા નિમિતે અનેક યુવાનોએ વ્યસનમુક્તિના સંકલ્પ લીધા હતા.
લવજેહાદ અટકાવવા દરેક ઘરમાં ઘરસભા જરૂરી છેઃ આર.પી.પટેલ
વિશ્વઉમિયાધામ અંગે વાત કરતા સંસ્થાના પ્રમુખ આર.પી.પટેલ જણાવે છે કે દિવસેને દિવસે વધી રહેલા લવજેહાદના કિસ્સાઓ ઘટાડવા માટે દરેક ઘરમાં ઘરસભા થવી જોઈએ. વધુમાં આર.પી.પટેલે યુવાનમાં નવા ઉર્જા અને સંગઠન શક્તિ મજબૂત કરવાના ઉદ્દેશ્યથી વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની જાહેરાત કરી હતી. તેઓ જણાવે છે કે વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડ ન માત્ર ગુજરાત પણ અમેરિકા, બ્રિટન, આફ્રિકા અને કેનેડા સહિત વિશ્વના અનેક દેશોમાં રમાશે. વિશ્વઉમિયાધામ ઓલિમ્પિયાડની ઓપનીંગ શેરેમની 5 જાન્યુઆરી 2024ના રોજ યોજાશે
હળવદ તાલુકાના કવાડીયા ગામની સીમમાં આવેલ સોલાર પ્લાન્ટમાં થયેલ કેબલ વાયર ચોરીના ગુનામાં વધુ સાત આરોપીઓ હળવદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ કવાડીયા ગામની સીમમાં થયેલ કોપર કેબલ ચોરીના ગુનાના પકડવાના બાકી રહેલ આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન વધુ સાત આરોપીઓ પ્રતાપભાઇ ઉર્ફે પી.ડી. દાનુભાઇ...
મોરબી શહેરમાં વોર્ડ નંબર- 2માં આવેલ લાઈન્સ નગર મુખ્ય માર્ગ તેમજ ગોર ખીજડીયા માર્ગ તરીકે ઓળખાય છે તે બને માર્ગો ને આઇકોનિક રોડ (Iconic Road) તરીકે ફાણવણી કરવા જાગૃત નાગરિક પ્રવીણકુમાર શુકલએ મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખીત રજુઆત કરી માંગ કરી છે
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબી શહેરના સૌંદર્યવર્ધન અને સુવિધાસભર...
મોરબી ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા પ.પૂ. દાદા ભગવાન ની ૧૧૮મી જન્મજયંતિ નિમિતે જોવા જેવી દુનિયા કાર્યક્રમ નું અલૌકીક આયોજન કરવામાં આવ્યુ છે. સમાજ ના ઉત્થાન તેમજ સુધારણા માટે આયોજીત આ કાર્યક્રમ માં મોરબી જલારામ ધામ ની ટીમ દ્વારા સેવા અર્પણ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા...