પ્રેરણાનું પાવર સ્ટેસન, ફ્રેન્ડ ફિલોસોફર અને ગાઈડ ગણાય તેવા કસ્ટમરના દિલમાં વસેલા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા એક કર્મઠ કર્મચારી અતુલભાઈ એ. કાલરીયા વયમર્યાદાના કારણે નિવૃત થતા બેંક પરિવાર દ્વારા તેમનો વિદાયમાન સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ વિદાય-સન્માન સમારોહની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી ત્યારબાદ બેંકના ઝોનલ ઓફિસર ચેતનભાઈ ભૂત દ્વારા પ્રસંગોચિત વક્તવ્ય આપવામાં આવ્યું. ત્યારબાદ બેંક ઈન.મેનેજર ગૌતમભાઈ કુંડારીયા અતુલભાઈના જીવનમાંથી શીખેલી કેટલીક વાતો કરી. મોરબી શહેર પ્રાથમિક શિક્ષક સરાફી સહકારી મંડળીના મંત્રી જયેશભાઈ બાવરવાએ પ્રાસંગિક ઉદબોધન કર્યું. સિંચાઈ કર્મચારી મંડળીના મંત્રી રાજુભાઈ સાણંદિયા તથા મોરબી તાલુકા શિક્ષક મંડળીના મંત્રી મહેન્દ્રભાઈ વાઘડિયા પણ હાજર રહ્યા હતા. બેન્કના તમામ સ્ટાફ મિત્રો દ્વારા અતુલભાઈ કાલરીયાને મોમેન્ટો તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. તથા તંદુરસ્ત અને દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી.
વાંકાનેર સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટ્ટ માંથી દેશીદારૂ ભરેલ સ્વિફટ ગાડી પકડી પાડી દેશીદારૂ લીટર-૫૫૦ કિં રૂ.૧,૧૦,૦૦ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિં રૂ. ૬,૧૦, ૦૦૦ નો મુદામાલ વાંકાનેર સિટી પોલીસે ઝડપી પાડયો છે.
વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્વિફટ ગાડી વાંકાનેર...
મોરબી: શિક્ષકોએ સમાજના ઘડવૈયા છે, શિક્ષકોનું કામ જીવંત વ્યક્તિત્વ સાથેનું છે, શિક્ષકોનું કુમળા છોડની જેમ બાળકોની દેખભાળ કરવાનું છે શિક્ષકો પોતાના સેવાકાળ દરમ્યાન બાળકોનું ભણતર, ગણતર, ઘડતર અને ચારિત્ર્યનું ચણતર કરે છે.
માતા-પિતા પોતાના પાંચ વર્ષના બાળકને શિક્ષકોના હાથમાં સોંપે છે, શિક્ષકો પણ બાળકોનું પોતાના બાળકની જેમ દેખરેખ રાખી લાલન,...
મોરબીના ગામ ઓસીસ સિરામિક નજીક અશ્વમેઘ હોટલ પાછળ કોઈ કારણસર પાણીમાં ડૂબી જતાં બે વર્ષના માસૂમ બાળકનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ટીંબડી ગામ ઓસીસ સિરામિક પાસે અશ્વમેઘ હોટલ પાછળ મનકર વસોનીયાનો ૦૨ વર્ષનો દિકરો લકી કોઈ કારણસર પાણીમાં પડી ડુબી જતા બાળકનું મોત નિપજ્યું હતું. આ બનાવ...