મોરબી :માત્ર દેખાડા કરતી મોરબી નગર પાલિકા નપાણી અને પ્રજા ના મૂળભૂત હક્કો આપવા માં હમેશા વામણી પુરવાર થઇ છે. લોકોના કામો તો દુર હવે ખુદ કાઉન્સિલરોના કામો પણ નથી થઇ રહ્યા અમે કામ કરી રહ્યા છીએ તેવા બણગા ફૂક્તી પાલિકાને શરમ પણ નથી આવતી. હવે ભાજપ ના જ આગેવાને પાલિકા પર ભરોસો રાખવા ને બદલે લોકો ને સાથે રાખી સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ કરાવી પાલિકાનું નાક કાપી લીધું છે.
ભૂગર્ભ ગટર ના પાણી ઉભરાવવા,રોડ રસ્તા તૂટેલા હોવાના અને રખડતા ઢોર નો ત્રાસ ની સમસ્યા ઉકેલવા માં નગર પાલિકા ક્યારેય ગંભીર થઇ નથી. માત્ર વિડીયો બનાવી અને મોબાઈલ નંબર આપી અમે કામ કરીશું અને કામ કરી રહ્યા છીએ તેવી સસ્તી પ્રસિદ્ધિ મેળવી રહી છે પરંતુ ભાજપ ની જ નગર પાલિકા નુ ભાજપના જ નેતા નાક કાપી રહ્યા છે. જો સત્તાધારી ભાજપ આગેવાનો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની સુ હાલત થતી હશે તે સમજવું સામાન્ય છે. બે શરમ અને નફફટ પાલિકા તથા કલેકટર જેવા ઉચ્ચ દરજ્જા ના અધિકારીઓ પણ તમાસો જોઈ રહ્યા છે નક્કર કામગીરી જોવા મળી નથી રહી. તે મોરબી નું દુર્ભાગ્ય છે .
થોડા દિવસો પહેલા તપોવન રેસીડન્સી માં કચરો ઉપાડવાનું બંધ થતા સ્થાનિક કાઉન્સીલરે ત્યાના લોકો ને સાથે રાખી રોડ પર કચરો ફેકી વિરોધ દર્શાવ્યો હતો .ત્યારે પણ પાલિકા ની આંખ ઉઘાડી નહોતી તો ફરી એક અન્ય કિસ્સો સામે આવ્યો છે ,વોર્ડ નો ૧૦ માં રહેતા અને જીલ્લા પંચાયત ના સદસ્ય અજયભાઈ લોરિયા એ પણ પાલિકા પર ભરોસો રાખવા ને બદલે દર્પણ સોસાયટી અને શિવ પાર્ક સોસાયટી ના લોકો ને સાથે રાખી રૂપિયા 1.15 લાખ ના સ્વખર્ચે રોડ રસ્તા રીપેરીંગ ના કામ કરાવ્યા છે. જો ભાજપ ના આગેવાનો અને સુધરાઇ સભ્યો ના કામ નાં થતા હોય તો આમ પ્રજા ની શું હાલત થતી હશે તે સમજવું સહેલું છે.
આવી ઘટનાઓ બનતી હોવા છતા શરમ વગર ની નગર પાલિકા નક્કર કામગીરી નથી કરી રહી અને પોતાની નિર્લજ અને નાં કામ કરવાની નીતિ ને વળગી રહી હોય તેવું લાગી રહ્યું છે
ભારતના શક્તિશાળી એટેકથી પાક ધ્રુજી ગયું:ભારતનું 'ઑપરેશન સિંદૂર' 30 આતંકીનો ખાતમો
ભારતે પહલગામનો બદલો લેતાં રાત્રે આતંકી અડ્ડા પર એર સ્ટ્રાઇક કરી છે જેમાં આતંકીઓના 9 અડ્ડાને ધ્વંશ કર્યો છે જેમાં 30 આતંકી માર્યા ગયા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ બદલો લેવાની કાર્યવાહી કરી...
માળીયા મીયાણા તાલુકાના ચિખલી ગામે યુવકે અગાઉ આરોપી પર દારૂનો કેસ થયેલ હોવાની પોલીસ બાતમી આપી હોય એવી યુવક પર શંકા કરી ખાર રાખી યુવકને ચાર શખ્સોએ માર માર્યો હોવાની માળિયા મી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળીયા (મીં) તાલુકાના ચિખલી ગામે રહેતા શેખરભાઈ ચંદુભાઈ નગવાડીયા (ઉ.વ.૨૮)...
માળીયા મીંયાણા ગામની સીમ ગુલાબડી વિસ્તાર પાસેથી પાસેથી હાથ બનાવટી જામગરી (અગ્ની શસ્ત્ર) બંદુક સાથે એક ઈસમને માળીયા મીંયાણા પોલીસે ઝડપી પાડયો છે.
માળીયા મીંયાણા ગામની ગુલાબડી વિસ્તાર પાસે આવેલ ઇન્ડીયા કારખાને જવાના રસ્તા પાસે એક ઇસમ પોતાની પાસે એક જામગરી હથીયાર સાથે રાખી ચાલીને આવે છે એવી બાતમીના આધારે...