મોરબી: નંદ ઘેર આનંદ ભયોના નાદથી ગઈ કાલના રોજ મોરબી શહેરની ગલીઓ ગુંજી ઉઠી હતી. જગતના નાથ એવા કાનુડાના જન્મોત્સવને વધાવવા મોરબીમાં ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી. અને વાલાના વધામણા કર્યા હતા.
ગઈ કાલના રોજ દેશભરમાં હિંદુ ધર્મના મહત્ત્વના તહેવાર જન્માષ્ટમીની ખૂબ જ ધામધૂમ અને ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. હિંદુ ધર્મમાં ભગવાન કૃષ્ણના જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. આ તહેવાર દર વર્ષે ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના રોહિણી નક્ષત્રમાં રોજ ઉજવવામાં આવે છે. ત્યારે મોરબી શહેર તેમજ જિલ્લામાં ઠેર ઠેર કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી શહેર તેમજ ગામડાઓમાં ભવ્ય શોભાયાત્રા કાઢી મટકીફોડના કાર્યક્રમો યોજાયા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે લોકો રાસ ગરબે પણ રમ્યા હતા. અને કૃષ્ણ જન્મોત્સવની હર્ષોલ્લાસથી ઉજવણી કરી કૃષ્ણ ભક્તિના રંગે રંગાઈ ગયા હતા.
લાંબા અંતરની તો ઠીક પરંતુ ડેમુ ટ્રેન પણ યોગ્ય રીતે ચલાવી શકતા નથી
મોરબી જિલ્લો છે સીરામીક નગરી છે લાખો પરપ્રાંતિયો મજૂરો છે અનેક વખત લાંબા રૂટની ટ્રેન ની માંગણી કરવામાં આવી છે પરંતુ તે અપાવવામાં મોરબીના રાજકારણીઓ ફેલ થયા છે.
મોરબી વાસીઓ વર્ષોથી લાંબા અંતરની ટ્રેન જંખી રહ્યા હતા ત્યારે...
મોરબી શહેરમાં દારૂબંધીના લીરે લીરા ઉડી રહ્યા છે અવારનવાર દેશી તેમજ વિદેશી દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં આરોપીના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૨ બોટલ કિં રૂ. ૬૦૦૦ નો મુદામાલ એ ડીવીઝન પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી સ્થળ પર હાજર ન...