મોરબી: છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે.
રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.1 થઈ 5 ના 125 શિક્ષકો અને ધો.6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનના 25 શિક્ષકો ફાળવેલ હતા,એ અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા 24 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે એવી જ રીતે ધો.1 થી 5 માં 125 શિક્ષકો ફાળવેલ હતા જે પૈકી 11 ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય 113 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ 137 નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે.
કેમ્પની શરૂઆતમાં પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હૂંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી,કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ,મુકેશભાઈ મારવણીયા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તેમજ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગરચર નાયબ ડિપીઈઓ અને ટીપીઈઓએ કર્યું હતું.
હાસ્ય કલાકાર માયાા આહીરના ટેક્સવાળા વિવાદિત નિવેદન બાદ ગુજરાતમાં તેમનો ખૂબ વિરોધ થઈ રહ્યો છે. જોકે, બીજી બાજુ અનેક કલાકારો પણ તેના સમર્થનમાં આવ્યા છે. આ વચ્ચે વરિષ્ટ પત્રકાર રાજુદાન ગઢવીએ માયા આહીરના નિવેદનને વખોડ્યું છે અને તેમને આડેહાથ લીધા છે. તેમણે શું કહ્યું તે નીચે આપેલા વીડિયોમાં જુઓ...
જે...
મોરબી જિલ્લાના જેતપર ગામથી વીજલાઈનના વળતર મુદ્દે શરૂ થયેલું ખેડૂત આંદોલન હવે નવા તબક્કામાં પ્રવેશ્યું છે. લોકસાહિત્યકાર હકાભા ગઢવીના ગંભીર આક્ષેપો બાદ ઉપવાસ આંદોલનની છાવણીમાંથી અલગ થયેલા ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયાએ હવે નવા સંગઠન 'સરદાર સેના'ની સત્તાવાર રચના કરવાની જાહેરાત કરી છે. સાથે જ આગામી 18 જુલાઈ, શનિવારના રોજ...
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીઓના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બાંભણિયા ગામમાં માનવભક્ષી દીપડાના હુમલામાં 10 વર્ષના એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોએ વન વિભાગની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો...