મોરબી: છેલ્લા ઘણાં સમયથી મોરબી જિલ્લાની ઘણી બધી શાળાઓમાં ઘણી બધી જગ્યાઓ ખાલી હતી અને ઘણા સમયથી યુવાનો વિદ્યા સહાયકો ભરતીની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા ત્યારે નોકરી વાંચ્છું યુવાનોની આતુરતાનો અંત આવેલ છે.
રાજ્યકક્ષાએથી મોરબી જિલ્લાને ધો.1 થઈ 5 ના 125 શિક્ષકો અને ધો.6 થી 8 માટે સામાજિક વિજ્ઞાનના 25 શિક્ષકો ફાળવેલ હતા,એ અનુસંધાને વી.સી. હાઈસ્કૂલ ખાતે નવ નિયુક્ત વિદ્યા સહાયક માટેનો સ્થળ પસંદગી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં સામાજિક વિજ્ઞાનનો એક ઉમેદવાર ગેર હાજર રહેતા 24 ઉમેદવારોએ સ્થળ પસંદગી કરેલ છે એવી જ રીતે ધો.1 થી 5 માં 125 શિક્ષકો ફાળવેલ હતા જે પૈકી 11 ઉમેદવાર ગેરહાજર રહેલ અને એક ઉમેદવારે અસંમતી આપેલ હોય 113 ઉમેદવારોએ સ્થળ પસંદ કરતાં કુલ 137 નવા શિક્ષકોનું મોરબી જિલ્લા આગમન થયેલ છે.
કેમ્પની શરૂઆતમાં પ્રવિણભાઈ અંબારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ ઉમેદવારોને મોરબી જિલ્લામાં આવકાર્યા હતા.કેમ્પને સફળ બનાવવા દિનેશભાઈ વડસોલા જિલ્લા અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, દિનેશભાઈ હૂંબલ પ્રમુખ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ-મોરબી,કિરીટભાઈ દેકાવડીયા રાજ્ય પ્રતિનિધિ મહાસંઘ, વિનોદભાઈ ગોધાણી પ્રમુખ,મુકેશભાઈ મારવણીયા મહામંત્રી મુખ્ય શિક્ષક સંઘ તેમજ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,તેમજ તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી,સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ ગરચર નાયબ ડિપીઈઓ અને ટીપીઈઓએ કર્યું હતું.
અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં ૨૭ તારીખે બનેલી ફાયરિંગની ઘટનાના સંદર્ભમાં પોલીસે નિવૃત્ત DySP અશોકસિંહ ચૌહાણ, તેમના પુત્ર સિદ્ધરાજસિંહ અને પુત્રી ખ્યાતિની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સેટેલાઈટ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રખાયેલા નિવૃત્ત DySPએ મીડિયા સમક્ષ પોતાનો પક્ષ રાખવા માટે ભારે જીદ કરી હોબાળો મચાવ્યો હતો, પરંતુ પોલીસે તેમને પકડીને લોકઅપમાં...
ગુજરાતમાં હાલ હવામાનના બે અલગ-અલગ મિજાજ જોવા મળી રહ્યા છે. એક તરફ રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય ભેજ લોકોને અકળાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં ગરમીથી મોટી રાહત મળવાના સંકેત આપ્યા છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ આગાહી અનુસાર, આગામી...
વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પાલી કરમબેલી ગામમાં એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મૃતક બાળકોમાં 9 મહિનાના જુડવા ભાઈઓ આર્યન અને વિહાન તેમજ 3 વર્ષની દીકરી નાયરાનો સમાવેશ થાય છે. આ...