રાષ્ટ્ર વ્યાપી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અનવ્યે આજે સમગ્ર દેશમાં મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લાના જાંબુડીયા ગામે સ્વચ્છતા હી સેવા- ૨૦૨૩ અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘીની ઉપસ્થિતમાં મહાશ્રમ દાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી સાફ સફાઈ કરી આ મહા અભિયાનમાં જોડાયા હતા.
આ પ્રસંગે સરપં હંસાબેન રમેશભાઈ કણસાગરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મચારી નરસંગભાઇ છૈયા, વિપુલભાઈ પારીયા, જ્યોતિ રાઠોડ, જાગૃતિ ચાવડા, તલાટી કમ મંત્રી સાગર વરસડા, ગ્રામ પંચાયત સભ્ય અનિલભાઈ, શાળાના આચાર્ય નયનભાઈ ભોજાણી તેમજ શિક્ષણ ગણ અને મોટી સંખ્યામા ગ્રામજનો વગેરે મહાશ્રમદાન કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા
મોરબી શહેરમાં રહેતી પરિણીતાનો દિકરો તેના પતિ સાથે રહેતો હોય અને પરણીતા પોતાના દિકરાને રમાડવા માટે માતા સાથે ગયેલ હોય ત્યારે પરણિતાને તેના સસરા તથા પતિએ ઝગડો કરી માર માર્યો હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મૂળ મોરબીના અરણોદયનગરમા રહેતા અને હાલ રાજકોટ...
મોરબી જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘને ગૌરવ અનુભવે છે કે જિલ્લાના અધ્યક્ષ તરીકે સેવા આપતા દિનેશભાઇ વડસોલાને ગુજરાત રાજ્યના HTAT (Head Teacher Aptitude Test) આચાર્ય સંવર્ગમાં રાજ્ય ઉપાધ્યક્ષ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી સોંપાઈ છે. દિનેશભાઇ વડસોલાએ શિક્ષક તરીકે પોતાની સેવાઓ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે સતત નવીનતા, નેતૃત્વ અને સંગઠનાત્મક કાર્યક્ષમતા દર્શાવી છે....