મોરબી: તારીખ ૦૪/૧૦/૨૦૨૩ ને છઠના શ્રાદ્ધ નિમિત્તે શૈલેષભાઈ હરિપર વાળાના બાપુજીના શ્રાદ્ધ માટે ખાખરાળા ગામમાં બે અને મોરબી શહેરમાં એક એમ ત્રણ અનાજની કીટ અને સાડીઓ ગંગા સ્વરૂપ બહેનોને આપવામાં આવી.
આ સેવા કાર્યમાં ચિત્રા હનુમાનજી મંડળના સભ્યો ભીખાભાઈ લોરિયા, ચંદુભાઈ કડીવાર, રતિલાલ પટેલ અને ભાડજાભાઈ હાજર રહ્યા હતા અને તેમના હસ્તે આ કીટ અને સાડીઓ આપવામાં આવી હતી તેમજ ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના પ્રમુખ ત્રિભોવનભાઈ સી ફુલતરિયાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં માળિયા વનાળીયામા રહેતા સામાજિક કાર્યકરને એક શખ્સ સાથે અગાઉ બોલાચાલી ઝઘડો થયેલ હોય જે બાબતનો ખાર રાખી એક શખ્સે વૃદ્ધ સામાજિક કાર્યકરને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી શરીરે મુંઢ ઈજા પહોંચાડી હોવાની સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના માળિયા વનાળીયામા...
મોરબી જિલ્લા હોમગાર્ડઝના ટંકારા યુનિટ ખાતે ફરજ બજાવતા હોમગાર્ડઝ સભ્ય સ્વ. હિતેન્દ્રસિંહ ભરતસિંહ ઝાલાનું તા.૨૪/૧૦/૨૦૨૪ ના રોજ અવસાન થતા. જિલ્લા કમાન્ડન્ટ ડિ.બી.પટેલની ભલામણને આધારે મે.ડાયરેક્ટર જનરલ, હોમગાર્ડઝ હેડક્વાર્ટર, અમદાવાદ દ્વારા હોમગાર્ડઝ કલ્યાણનિધિમાંથી રૂ.૧,૫૫,૦૦૦/-(એક લાખ પંચાવન હજાર) ની ફરજ સિવાય સામાન્ય સંજોગોમાં અવસાન સહાય મંજુર કરવામાં આવી છે.
જે અન્વયે સ્વ....