મોરબીમાં ‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનના પ્રારંભ રૂપે મોરબીના નજરબાગ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી.
‘સ્વચ્છતા એજ સેવા’ અભિયાનનો આજરોજ સમગ્ર રાજ્યમાં બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનની સઘન સાફ સફાઈ કરી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મોરબી ખાતે આવેલા નજરબાગ રેલવે સ્ટેશનની સાફ સફાઈ કરવામાં આવી હતી. જેમાં રેલ્વે સ્ટેશન ખાતે પાછળના વિસ્તારમાં ઉગી નીકળેલા જાડી જાંખરા તેમજ કચરાને દુર કરવા સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી હતી.
આ સફાઈ પ્રવૃતિમાં રેલવે સ્ટેશન, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ભડિયાદ ગ્રામ પંચાયત વગેરેના કર્મચારીઓ જોડાયા હતા.
મોરબી શહેરમાં પ્રોહીબીશનના ગુન્હામાં પકડાયેલ બે ઈસમોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ દ્વારા વડોદરા અને સુરત જેલ હવાલે કરવામાં આવેલ છે.
મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર પ્રોહીબીશનના ગુન્હાઓમાં પકડાયેલ અસામાજીક ઇસમો શાહરૂખભાઇ ઇકબાલભાઇ અલીભાઇ બુચડ (ઉ.વ.૩૧) રહે. મોરબી લાતીપ્લોટ શેરીનં.૮ તથા સાહિલભાઇ કરીમભાઇ રમજાનભાઇ ચાનીયા (ઉ.વ.૨૩)...